ETV Bharat / state

વિધાનસભા પેટાચૂંટણીઃ જાણો 4 બેઠકો પર કેટલું થયું મતદાન?

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકોની સાથે સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં વિધાનસભાની ધ્રાંગધ્રા, ઉંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું સરેરાશ કુલ 62.77 ટકા મતદાન નોંધાયું છે.

author img

By

Published : Apr 24, 2019, 4:31 PM IST

ડિઝાઈન ફોટો

વર્તમાન ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં જોડાવાને કારણે આ બેઠકો પર ખાલી પડી હતી. જેથી રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની સાથે સાથે 4 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચાર બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા બેઠક પર 60.86 %, મહેસાણાની ઊંઝા બેઠક પર 65 %, જૂનાગઢની માણાવદર બેઠક પર 62.87 % અને જામનગર ગ્રામ્ય બેઠક પર 62.37 % મતદાન નોંધાયું હતું.

ચાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 62.77 % મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 65 ટકા ઊંઝામાં અને સૌથી ઓછું ધ્રાંગધ્રામાં 60.86 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. હવે આ ચાર વિધાનસભા બેઠકનું ચૂંટણી પરિણામ લોકસભાની સાથે 23મી મેના રોજ જાહેર થશે.

વર્તમાન ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં જોડાવાને કારણે આ બેઠકો પર ખાલી પડી હતી. જેથી રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની સાથે સાથે 4 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચાર બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા બેઠક પર 60.86 %, મહેસાણાની ઊંઝા બેઠક પર 65 %, જૂનાગઢની માણાવદર બેઠક પર 62.87 % અને જામનગર ગ્રામ્ય બેઠક પર 62.37 % મતદાન નોંધાયું હતું.

ચાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 62.77 % મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 65 ટકા ઊંઝામાં અને સૌથી ઓછું ધ્રાંગધ્રામાં 60.86 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. હવે આ ચાર વિધાનસભા બેઠકનું ચૂંટણી પરિણામ લોકસભાની સાથે 23મી મેના રોજ જાહેર થશે.

Intro:Body:

વિધાનસભા પેટાચૂંટણીઃ જાણો 4 બેઠકો પર કેટલું થયું મતદાન?



ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકોની સાથે સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં વિધાનસભાની ધ્રાંગધ્રા, ઉંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું સરેરાશ કુલ 62.77 ટકા મતદાન નોંધાયું છે.



વર્તમાન ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં જોડાવાને કારણે આ બેઠકો પર ખાલી પડી હતી. જેથી રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની સાથે સાથે 4 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચાર બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા બેઠક પર 60.86 %, મહેસાણાની ઊંઝા બેઠક પર 65 %, જૂનાગઢની માણાવદર બેઠક પર 62.87 % અને જામનગર ગ્રામ્ય બેઠક પર 62.37 % મતદાન નોંધાયું હતું. 



ચાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 62.77 % મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 65 ટકા ઊંઝામાં અને સૌથી ઓછું ધ્રાંગધ્રામાં 60.86 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. હવે આ ચાર વિધાનસભા બેઠકનું ચૂંટણી પરિણામ લોકસભાની સાથે 23મી મેના રોજ જાહેર થશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.