ETV Bharat / state

અંબાજીમાં અસામાજિક તત્વોએ વાહનો પર કર્યો પથ્થરમારો

author img

By

Published : Oct 28, 2019, 3:40 AM IST

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી જવાના માર્ગ પર રવિવારની મોડી સાંજે વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી અંબાજી જતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. છતાં પોલીસ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાયા નથી. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકો પોલીસની પેટ્રોલીંગની માગ કરી રહ્યાં છે.

અંબાજીમાં અસામાજીક તત્વોનો આતંક

યાત્રાધામ અંબાજી જવાના માર્ગ પર રવિવાર સાંજે વાહનો પર કેટલાંક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જેથી અંબાજી જતાં વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. કારણ કે, આ રસ્તા પર બે ખાનગી કાર સહિત અમદાવાદ તરફથી અંબાજી આવી રહેલી છોટાઉદેપુર-અંબાજી ST બસ અને બગસરા-અંબાજી ST બસ અંબાજીથી 8 કિલોમીટર દૂર ગનાપીપળીના ઢાળમાં અંબાજી તરફ આવી રહી હતી, ત્યારે મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્શોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં આગળના ભાગના મુખ્ય કાચ તૂટી ગયાં હતા. જો કે, ડ્રાઇવરની સમય સૂચકતાના કારણે કોઇ મોટી ઘટના બની ન હોવાનુ બસ ડ્રાઇવરે જણાવ્યું હતું.

અંબાજીમાં અસામાજીક તત્વોનો આતંક

હાલ, દિવાળીનું વેકેશન હોવાથી અંબાજી તેમજ માઉન્ટ આબુ જનારા યાત્રિકોના ઘસારો રહે છે. અંબાજી તેમજ માઉન્ટઆબુ જવા માટેનો આ માર્ગ મુખ્ય રોડ ગણાય છે. જ્યાં મોડી સાંજે પથ્થરમારાની ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી દિવાળી વેકેશનમાં કોઈ દુર્ઘટના સર્જાય તે માટે હડાદ માર્ગ વચ્ચે પોલીસ પેટ્રોલિંગ રાખવાની માગ પ્રબળ બની છે.

યાત્રાધામ અંબાજી જવાના માર્ગ પર રવિવાર સાંજે વાહનો પર કેટલાંક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જેથી અંબાજી જતાં વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. કારણ કે, આ રસ્તા પર બે ખાનગી કાર સહિત અમદાવાદ તરફથી અંબાજી આવી રહેલી છોટાઉદેપુર-અંબાજી ST બસ અને બગસરા-અંબાજી ST બસ અંબાજીથી 8 કિલોમીટર દૂર ગનાપીપળીના ઢાળમાં અંબાજી તરફ આવી રહી હતી, ત્યારે મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્શોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં આગળના ભાગના મુખ્ય કાચ તૂટી ગયાં હતા. જો કે, ડ્રાઇવરની સમય સૂચકતાના કારણે કોઇ મોટી ઘટના બની ન હોવાનુ બસ ડ્રાઇવરે જણાવ્યું હતું.

અંબાજીમાં અસામાજીક તત્વોનો આતંક

હાલ, દિવાળીનું વેકેશન હોવાથી અંબાજી તેમજ માઉન્ટ આબુ જનારા યાત્રિકોના ઘસારો રહે છે. અંબાજી તેમજ માઉન્ટઆબુ જવા માટેનો આ માર્ગ મુખ્ય રોડ ગણાય છે. જ્યાં મોડી સાંજે પથ્થરમારાની ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી દિવાળી વેકેશનમાં કોઈ દુર્ઘટના સર્જાય તે માટે હડાદ માર્ગ વચ્ચે પોલીસ પેટ્રોલિંગ રાખવાની માગ પ્રબળ બની છે.

Intro:


Gj_ abj_01_PATHHAR MARO_ AVB_7201256
LOKESAN---AMBAJI




Body:
યાત્રાધામ અંબાજી જવાના માર્ગ પર આજે મોડી સાંજે એસ.ટી બસ તેમજ ખાનગી વાહનો ઉપર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાતાં અંબાજી આવતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે, બે ખાનગી કાર સહિત અમદાવાદ તરફ થી અંબાજી આવી રહેલ છોટાઉદેપુર- અંબાજી એસટી બસ તેમજ બગસરા - અંબાજી એસટી બસ અંબાજી થી ૭ થી ૮ કિલોમીટર દૂર ગનાપીપળીના ઢાળમાં અંબાજી તરફ આવી રહેલ ત્યારે મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્શો દ્વારા પથ્થરમારો કરતાં આગળના ભાગના મુખ્ય કાચ તોડી પડાયા હતા જોકે આ ઘટના બનતા ડ્રાઇવરની સમયે સૂચકતા કારણે બસને હંકારીને અંબાજી તરફ દોડાવી મુકી હતી જેના કારણે અન્ય કોઇ મોટી ઘટના બની ન હોવાનુ બસ ડ્રાઇવરે જણાવ્યું હતું જોકે હાલમાં દિવાળી નું વેકેશન હોવાથી અંબાજી તેમજ માઉન્ટ આબુ જનારા યાત્રિકોના ઘસારો રહેતો હોય છે ને અંબાજી તેમજ માઉન્ટ આબુ જવા માટે આ માર્ગ મુખ્ય રોડ માનવામાં આવે છે જ્યાં આજે મોડી સાંજે પથ્થરમારાની ઘટના બનતા અને યાત્રિકોમાંભય નો માહોલ જોવા મલી રહ્યો છે ને સાથે હાલમાં આ દિવાળી વેકેશનને લઇને કોઇ મોટી દુર્ઘટના કે કોઈ હોનારત ન બને તે માટે હડાદ માર્ગ વચ્ચે સખત પોલીસ પેટ્રોલિંગ રાખવા પણ માંગ કરાઈ રહી છે
બાઈટ અશોકભાઈ ( ભોગ બનનાર ડ્રાઈવર ) મુંબઈ


Conclusion:ચિરાગ અગ્રવાલ ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.