ETV Bharat / bharat

નાગપુરમાં ફટકડા ફેક્ટરી પ્રચંડ વિસ્ફોટ, 20 કિમી સુધી ગુંજ્યો ધડાકો, 2 શ્રમિકના મોત - EXPLOSION AT AMMUNITION FACTORY

મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા છે. જ્યારે કેટલાંક કામદારો ઘાયલ થવાની આશંકા છે.

નાગપુર જિલ્લાના કોટવાલબડ્ડીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ
નાગપુર જિલ્લાના કોટવાલબડ્ડીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 8:16 PM IST

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કોટવાલબડ્ડીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં બે કામદારના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થવાની આશંકા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો ધડાકો લગભગ 20 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કહેવાય છે કે વિસ્ફોટના કારણે નજીકના જંગલમાં પણ આગ લાગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કામદારોના દટાઈ જવાની આશંકા: નાગપુર પોલીસે વિસ્ફોટમાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. ફેક્ટરીમાં વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ કાટોલ, કલમેશ્વર પોલીસની ટીમ પોલીસ અધિક્ષક હર્ષ પોદ્દાર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. જ્યારે કાટમાળ નીચે અનેક કામદારો દટાયા હોવાની આશંકા છે.

"એશિયન ફાયરવર્ક્સ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ બે લોકોના મોત થયા છે, અને ત્રણને સામાન્ય ઈજા થઈ છે. વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ માટે ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. આગ ઓલવાઈ ગઈ છે."- હર્ષ પોદ્દાર, એસપી, નાગપુર ગ્રામ્ય

ઓર્ડિનન્સ ફેક્ટરીમાં થયો હતો વિસ્ફોટઃ આપને જણાવી દઈએ કે આ પહેલા જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના ભંડારાના જવાહર નગર સ્થિત ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 8 કર્મચારીઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

  1. મહાકુંભમાં ફરી એકવાર આગ લાગી, સેક્ટર 19માં અનેક ટેન્ટ સળગી ગયા
  2. હાથીઓના "હિંસક હુમલા" વધ્યા : બે ગંભીર બનાવ, પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કોટવાલબડ્ડીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં બે કામદારના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થવાની આશંકા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો ધડાકો લગભગ 20 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કહેવાય છે કે વિસ્ફોટના કારણે નજીકના જંગલમાં પણ આગ લાગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કામદારોના દટાઈ જવાની આશંકા: નાગપુર પોલીસે વિસ્ફોટમાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. ફેક્ટરીમાં વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ કાટોલ, કલમેશ્વર પોલીસની ટીમ પોલીસ અધિક્ષક હર્ષ પોદ્દાર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. જ્યારે કાટમાળ નીચે અનેક કામદારો દટાયા હોવાની આશંકા છે.

"એશિયન ફાયરવર્ક્સ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ બે લોકોના મોત થયા છે, અને ત્રણને સામાન્ય ઈજા થઈ છે. વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ માટે ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. આગ ઓલવાઈ ગઈ છે."- હર્ષ પોદ્દાર, એસપી, નાગપુર ગ્રામ્ય

ઓર્ડિનન્સ ફેક્ટરીમાં થયો હતો વિસ્ફોટઃ આપને જણાવી દઈએ કે આ પહેલા જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના ભંડારાના જવાહર નગર સ્થિત ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 8 કર્મચારીઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

  1. મહાકુંભમાં ફરી એકવાર આગ લાગી, સેક્ટર 19માં અનેક ટેન્ટ સળગી ગયા
  2. હાથીઓના "હિંસક હુમલા" વધ્યા : બે ગંભીર બનાવ, પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.