ETV Bharat / state

આણંદના બીગ બજાર મૉલ વિરૂદ્ધ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Aug 31, 2019, 7:28 PM IST

Updated : Aug 31, 2019, 8:26 PM IST

આણંદઃ તાલુકાના વિદ્યાનગરમાં બીગ બજાર મૉલ ગ્રાહકે મૉલમાંથી ઈંડા ખરીદ્યાં હતાં. જે ખરાબ નીકળતાં ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી છે.

આણંદના બીગ બજાર મૉલ સામે વિરૂદ્ધ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાઈ

આણંદમાં રહેતાં ધીરુભાઈ ગોહિલે 19 તારીખના રોજ બીગ બજારમાંથી 15 ઈંડાની ટ્રે 125 રૂપિયામાં ખરીદી હતી. જેની પર એક્સપાયરી ડેટ 9-09-2019 લખેલી હતી. પણ જ્યારે ધીરુભાઈ ઈંડા ઘરે લઈ ગયા ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી.

આણંદના બીગ બજાર મૉલ વિરૂદ્ધ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાઈ

એક જાગ્રત નાગરીક તરીકે ધીરુભાઈએ મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષદ નિયમન તંત્રમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે તંત્રએ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આણંદમાં રહેતાં ધીરુભાઈ ગોહિલે 19 તારીખના રોજ બીગ બજારમાંથી 15 ઈંડાની ટ્રે 125 રૂપિયામાં ખરીદી હતી. જેની પર એક્સપાયરી ડેટ 9-09-2019 લખેલી હતી. પણ જ્યારે ધીરુભાઈ ઈંડા ઘરે લઈ ગયા ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી.

આણંદના બીગ બજાર મૉલ વિરૂદ્ધ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાઈ

એક જાગ્રત નાગરીક તરીકે ધીરુભાઈએ મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષદ નિયમન તંત્રમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે તંત્રએ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Intro:આણંદ સ્થિત બિગ બજાર મોલ માં થી ખરીદવામાં આવેલ ઈંડા ખરાબ નીકળતા ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માં ફરિયાદ કરવામાં આવી છે.


Body:આણંદના રહેવાસી ધીરુભાઈ ગોહિલ દ્વારા 19 તારીખ ના રોજ બિગ બજાર વિદ્યાનગર ખાતેથી 15 ઈંડાની ટ્રે ૧૨૫ રૂપિયામાં ખરીદવામાં આવી હતી જેની ઉપર એક્સપાયરી ડેટ ૬ ૯ ૨૦૧૯ લખેલી હતી.

ધીરુભાઈ દ્વારા આ ઈંડાઓ ઘરે લઈ જાય ઉપયોગ માં લેતી વખતે માલુમ પડેલ કે જે ઈંડા બજારમાંથી ખરીદવામાં આવ્યા હતા તે વાસી અને ખાવા યોગ્ય ન હતા અતિ દુર્ગંધ મારતા અને સડેલી હાલતમાં ઈંડા જોઈ ધીરુભાઈ દ્વારા એક જાગૃત નાગરિક તરીકે મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે ગ્રાહકો આવા નામચીન મોલમાંથી લોભામણી સ્કીમ મોમાં આવી જઇ ખરીદી કરતા હોય છે ત્યારે અનેકવાર આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે હાલમાં બનેલા આ કિસ્સાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ બિગ બજાર ના કર્મચારીઓ દ્વારા ગ્રાહકને પૈસા પરત આપે અને કોલેટી ઉપર તપાસ હાથ ધરવાના વાતો કરી સમગ્ર ઘટના પર પડદો પાડવાની કોશિશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે તંત્ર આ વિષય પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.


Conclusion:મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર દ્વારા આ વિષય પર ઉંડાણથી તપાસ હાથ ધરવામાં આવવાની વાત કરવામાં આવી રહી છે અને આવનાર સમયમાં ખોરાક ના વેચાણ અને તેના સંગ્રહ ને લગતા નિયમોનું આ સંસ્થા થકી પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે વિષય પર ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે તેવી જાણકારી ટેલિફોનિક સંપર્ક થકી અધિકારી દ્વારા આપવામાં આવી છે.


બાઈટ : મિતુલ પટેલ( કર્મચારી બિગ બજાર )

(નોંધ : ફરિયાદ નો ફોટો ગ્રુપમાં whatsapp કર્યો છે જે સ્ટોરી માં લઇ લેવો)
Last Updated : Aug 31, 2019, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.