અમરેલીઃ રાજૂલા શહેરમાં તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ચીફ ઓફિસર દ્વારા દુકાનો બંધ કરાવતા બજારોમાં ટોળા એકઠા થયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડાઇ માટે 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમુક ધંધા રોજગાર ખોલવાની અનુમતી અપાઈ છે, એવામાં રાજૂલા શહેરના તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા હોબાળો થયો હતો.
![રાજુલા શહેરમાં તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવાઈ, વેપારીઓમાં રોષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-02-closeshop-gj10032_26042020142859_2604f_1587891539_720.jpeg)