ETV Bharat / state

વિશાલ ગોસ્વામી ગેંગના 4 આરોપીના 10 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર - Ahmedabad letest news

અમદાવાદઃ રાજ્યમાં ગુજકસીટોક હેઠળ નોંધાયેલા પહેલાં ગુના હેઠળ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને બુધવારે ક્રાઈમ બ્રાંચ દ્વારા રજૂ કરાતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટે આરોપીઓના 24મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, 1લી ડિસેમ્બરથી 2019થી ગુનાખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અમલી કરાયો હતો.

etv
વિશાલ ગોસ્વામી ગેંગના 4 આરોપીઓના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
author img

By

Published : Jan 16, 2020, 3:04 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂધ કુલ 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે, ત્યારે જે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માંગતા હતા.

વિશાલ ગોસ્વામી ગેંગના 4 આરોપીઓના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

એટલું જ નહિ કોર્ટમાં કેસ ચાલતો હોય, ત્યારે સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગેંગના ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતાં. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસને પૂરતું બળ મળી રહે તેના માટે વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂધ કુલ 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે, ત્યારે જે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માંગતા હતા.

વિશાલ ગોસ્વામી ગેંગના 4 આરોપીઓના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

એટલું જ નહિ કોર્ટમાં કેસ ચાલતો હોય, ત્યારે સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગેંગના ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતાં. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસને પૂરતું બળ મળી રહે તેના માટે વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

રાજ્યમાં ગુજકસીટોક હેઠળ નોંધાયેલા પહેલાં ગુના હેઠળ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને બુધવારે ક્રાઈમ બ્રાંચ દ્વારા રજુ કરાતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટે આરોપીઓના 24મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે 1લી ડિસેમ્બરથી 2019થી ગુનાખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અમલી કરાયો હતો.Body:અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂધ કુલ 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે ત્યારે જે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેઓ સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માંગતા હતા. એટલું જ નહિ કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે સાક્ષીઓને ડરાવવા - ધમકાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. Conclusion:આ ગેંગના ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસને પુરતું બળ મળી રહે તેના માટે વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.