અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂધ કુલ 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે, ત્યારે જે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માંગતા હતા.
એટલું જ નહિ કોર્ટમાં કેસ ચાલતો હોય, ત્યારે સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગેંગના ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતાં. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસને પૂરતું બળ મળી રહે તેના માટે વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું.