ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય: ધોળકામાં 39 અને દસક્રોઈમાં 42 કોરોના પોઝિટિવ કેસ

author img

By

Published : May 8, 2020, 10:25 PM IST

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ધોળકામાં શુક્રવારે કુલ 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Etv bharat
Ahmedabad

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ધોળકામાં શુક્રવારે કુલ 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા છે. આ સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં નવા પાંચ કેસ નોંધાયા છે.

અમદાવાદથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં શુક્રવારે કોરોના નવા 09 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ચિંતામાં મુકાયું છે. જિલ્લામાં દસ્ક્રોઇ તાલુકા બાદ સૌથી વધુ 42 પોઝિટિવ કેસ બાદ હવે ધોળકા તાલુકામાં કુલ 309 કેસ નોંધાયા છે. આ સિવાય વિરમગામમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનાર 445 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.24 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 08 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો. આ સાથે જ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઈઝિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. દસક્રોઈમાં 42, ધોળકામાં 39 અને સાણંદમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાં.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ધોળકામાં શુક્રવારે કુલ 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા છે. આ સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં નવા પાંચ કેસ નોંધાયા છે.

અમદાવાદથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં શુક્રવારે કોરોના નવા 09 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ચિંતામાં મુકાયું છે. જિલ્લામાં દસ્ક્રોઇ તાલુકા બાદ સૌથી વધુ 42 પોઝિટિવ કેસ બાદ હવે ધોળકા તાલુકામાં કુલ 309 કેસ નોંધાયા છે. આ સિવાય વિરમગામમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનાર 445 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.24 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 08 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો. આ સાથે જ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઈઝિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. દસક્રોઈમાં 42, ધોળકામાં 39 અને સાણંદમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.