નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે બુધવારે પોતાની એક તસવીર શેર કરીને પોતાની રિકવરી વિશે જાણકારી આપી છે. તે ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખે છે. કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ તે સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોકોને આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે અને મેદાન પર રમતા જોવા મળશે.
-
Comeback soon, Champion 😍
— CricTracker (@Cricketracker) May 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📸: RishabhPant/Instagram#CricTracker #RishabhPant #IndianCricket pic.twitter.com/5PS5esiGnZ
">Comeback soon, Champion 😍
— CricTracker (@Cricketracker) May 3, 2023
📸: RishabhPant/Instagram#CricTracker #RishabhPant #IndianCricket pic.twitter.com/5PS5esiGnZComeback soon, Champion 😍
— CricTracker (@Cricketracker) May 3, 2023
📸: RishabhPant/Instagram#CricTracker #RishabhPant #IndianCricket pic.twitter.com/5PS5esiGnZ
પંતે ઇન્ટાગ્રામ પર પોસ્ટ સેર કરી - વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે 'Sports Do not build character, They reveal it. જેનો અર્થ એ છે કે રમતગમત એ પાત્રનું નિર્માણ કરતી નથી, પરંતુ તેને પ્રગટ કરવાનું માધ્યમ છે.
પંતને ઘૂંટણની સર્જરી કરાવવી પડી - જ્યારે પંત ઋષભ પંત ઉત્તરાખંડમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનો ભયાનક અકસ્માત થયો હતો. ત્યાંના લોકોએ યોગ્ય સમયે રિષભ પંતને હોસ્પિટલ લઈ જઈને તેનો જીવ બચાવવામાં મદદ કરી હતી. આ અકસ્માતમાં રિષભ પંતને ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. સર્જરીના બે મહિના પછી પણ પંત હજુ પણ સપોર્ટ સાથે ચાલી રહ્યો છે. હાલમાં તેની ફિઝિયો થેરાપી ચાલી રહી છે, જે તેને આગામી કેટલાક મહિનામાં ચાલવામાં મદદ કરશે.
આ મેચમાં ભાગ્યે જોવા મળશે - વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતના ફિટનેસ રિપોર્ટ અનુસાર એવું લાગે છે કે તે આ વર્ષના એશિયા કપ અને ODI વર્લ્ડ કપ 2023માં ભાગ્યે જ રમી શકશે, પરંતુ રિષભ પંત આ બે મોટી ઈવેન્ટ્સમાં રમવાની આશા રાખી રહ્યો છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પંતને સંપૂર્ણ સ્વસ્થ થઈને મેદાનમાં આવવામાં ઓછામાં ઓછા 8 મહિનાનો સમય લાગશે.
ડોક્ટરનું મંતવ્ય - ઋષભ પંતની સારવારમાં લાગેલા ડૉક્ટરોનું માનવું છે કે પંત આ વર્ષના અંત સુધીમાં ક્રિકેટના મેદાન પર દેખાવાની આશા રાખી શકાય છે. તે પહેલા તે કદાચ રમવા માટે ફિટ ન હોય. જો કે, ઋષભ પંતે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાનો રિહેબ પ્રોગ્રામ પણ શરૂ કરી દીધો છે. IPL રમી રહેલી પોતાની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેઓ અરુણ જેટલી સ્ટેડિયમ પણ ગયા હતા.