ETV Bharat / sitara

સુશાંત માટે વૈશ્વિક પ્રાર્થના સભાના આયોજનમાં 101થી વધુ દેશના લોકો જોડાયા

author img

By

Published : Aug 23, 2020, 7:03 PM IST

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ, તેના ભાઈ માટે મળી રહેલા સમર્થન માટે ખૂબ આભારી છે. કીર્તિએ સુશાંત માટે વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં 101 થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો હતો. જેને કીર્તિએ દિવ્ય અનુભવ ગણાવ્યો હતો.

સુશાંત માટે વૈશ્વિક પ્રાર્થના સભાના આયોજનમાં 101થી વધુ દેશના લોકો જોડાયા
સુશાંત માટે વૈશ્વિક પ્રાર્થના સભાના આયોજનમાં 101થી વધુ દેશના લોકો જોડાયા

મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિને તેના ભાઈના મૃત્યુ પછી ફેંસ અને શુભેચ્છકોની સમર્થન શક્તિ છે.

તેણે કહ્યું કે, અભિનેતા માટે આયોજિત વર્ચુઅલ પ્રાર્થના સભામાં 101 થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો હતો. સુશાંત માટે 'નકારાત્મકતા ઘટાડવા' કીર્તિએ શનિવારે વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. તેણે ટ્વિટર પર માહિતી આપી હતી કે, ગાયત્રી મંત્રના પાઠ દરમિયાન 101થી વધુ દેશોના લોકો તેમની સાથે જોડાયા હતા.

કીર્તિએ લખ્યું કે, "હું આ પ્રસંગ માટે ખૂબ આભારી છું. અમને આજુબાજુમાં પોઝિટિવિટીની અનુભૂતિ થાય છે. જેણે આ આયોજનમાં મદદ કરી અને વિસ્તૃત પરિવારમાં જોડાયા તે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો."

તેણે આગળ લખ્યું કે, "101 થી વધુ દેશોના લોકોએ તેમાં ભાગ લીધો. તે મુસ્લિમ, હિંદુ કે ખ્રિસ્તી હતા, તે બધાએ આપણા પ્રિય સુશાંત માટે ગાયત્રી મંત્રનો પાઠ કરતા હતા. ભગવાન હંમેશા આપણને સત્ય અને ન્યાયની લડત માટે એક સાથે રાખે. તેણે ઇંસ્ટાગ્રામ પર આ અંગેની તસવીર અને વીડિયો પણ પોસ્ટ કર્યો છે. બાદમાં, શ્વેતાએ ગણેશ ચતુર્થી નિમિત્તે સુશાંતની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ લઈ જતા જોવા મળે છે.

મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિને તેના ભાઈના મૃત્યુ પછી ફેંસ અને શુભેચ્છકોની સમર્થન શક્તિ છે.

તેણે કહ્યું કે, અભિનેતા માટે આયોજિત વર્ચુઅલ પ્રાર્થના સભામાં 101 થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો હતો. સુશાંત માટે 'નકારાત્મકતા ઘટાડવા' કીર્તિએ શનિવારે વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. તેણે ટ્વિટર પર માહિતી આપી હતી કે, ગાયત્રી મંત્રના પાઠ દરમિયાન 101થી વધુ દેશોના લોકો તેમની સાથે જોડાયા હતા.

કીર્તિએ લખ્યું કે, "હું આ પ્રસંગ માટે ખૂબ આભારી છું. અમને આજુબાજુમાં પોઝિટિવિટીની અનુભૂતિ થાય છે. જેણે આ આયોજનમાં મદદ કરી અને વિસ્તૃત પરિવારમાં જોડાયા તે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો."

તેણે આગળ લખ્યું કે, "101 થી વધુ દેશોના લોકોએ તેમાં ભાગ લીધો. તે મુસ્લિમ, હિંદુ કે ખ્રિસ્તી હતા, તે બધાએ આપણા પ્રિય સુશાંત માટે ગાયત્રી મંત્રનો પાઠ કરતા હતા. ભગવાન હંમેશા આપણને સત્ય અને ન્યાયની લડત માટે એક સાથે રાખે. તેણે ઇંસ્ટાગ્રામ પર આ અંગેની તસવીર અને વીડિયો પણ પોસ્ટ કર્યો છે. બાદમાં, શ્વેતાએ ગણેશ ચતુર્થી નિમિત્તે સુશાંતની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ લઈ જતા જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.