ETV Bharat / city

પુત્રવધુને આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં ચુકાદો, તમામ આરોપી નિર્દોષ

author img

By

Published : Oct 7, 2019, 11:38 PM IST

ગાંધીનગર: શહેરમાં ચાર વર્ષ અગાઉ દહેજ માગવાના કારણે પરીણિતાએ તેની 4 વર્ષની પૂત્રીની હત્યા કરી હતી અને ત્યારબાદ તેમણે આત્મહત્યા કરી હોવાના કેસમાં આરોપી પતિ, સસરા, અને નણંદને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

આરોપી નિર્દોષ

મૃતકના લગ્ન મેઉના વતની અને ગાંધીનગર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા શંકરજી ચાવડાના પુત્ર મહાવીરસિંહ સાથે 2009માં કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મૃતકને વર્ષ 2011માં પુત્રી નવ્યાનો જન્મ થતા સાસરી પક્ષના સભ્યો દ્વારા દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. ત્રાસ સહન નહીં થતા મૃતક ગાયત્રીબેને 14 જુલાઈ 15ના રોજ સાસરિમાં પોતાની 4 વર્ષીય દીકરી નવ્યાની હત્યા કરી અને પોતે આત્મહત્યા કરીં લીધી હતી.

મૃતકના પિતાએ સસરા ASI શંકરજી મગનજી ચાવડા, સાસુ વીણાબા શંકરજી ચાવડા, મૃતકના પતિ મહાવીરસિંહ શંકરજી ચાવડા તથા નણંદ રચનાબેન વિરુદ્ધ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ગાંધીનગર સેસન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો હતો.

મૃતકના લગ્ન મેઉના વતની અને ગાંધીનગર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા શંકરજી ચાવડાના પુત્ર મહાવીરસિંહ સાથે 2009માં કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મૃતકને વર્ષ 2011માં પુત્રી નવ્યાનો જન્મ થતા સાસરી પક્ષના સભ્યો દ્વારા દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. ત્રાસ સહન નહીં થતા મૃતક ગાયત્રીબેને 14 જુલાઈ 15ના રોજ સાસરિમાં પોતાની 4 વર્ષીય દીકરી નવ્યાની હત્યા કરી અને પોતે આત્મહત્યા કરીં લીધી હતી.

મૃતકના પિતાએ સસરા ASI શંકરજી મગનજી ચાવડા, સાસુ વીણાબા શંકરજી ચાવડા, મૃતકના પતિ મહાવીરસિંહ શંકરજી ચાવડા તથા નણંદ રચનાબેન વિરુદ્ધ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ગાંધીનગર સેસન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો હતો.

Intro:હેડલાઈન) પુત્રીને મારી નાખ્યા બાદ આત્મહત્યા કરવાના કેસમાં ચુકાદો, પતિ સાસુ સસરા અને નણંદ નિર્દોષ જાહેર

ગાંધીનગર,

ગાંધીનગર શહેરમાં ચાર વર્ષ અગાઉ ચકચારી બનાવ બનવા પામ્યો હતો. ગાંધીનગરના સેક્ટર 28માં જુલાઈ 2015માં 4 વર્ષ અગાઉ પરિણીતાએ તેની 4 વર્ષ ની પુત્રી નવ્યાની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી હતી. જે કેસમાં પરિણીતાના પતિ, સાસુ, સસરા, અને નણંદ વિરુદ્ધ દહેજની માગણી કરી શારીરીક માનસિક ત્રાસ આપી પરિણીતાએ એની 4 વર્ષની દીકરીને મારી નાખીને આત્મહત્યા કરવા મજબૂર કરવા અંગેના ચકચારી કેસમાં આરોપી તમામ સાસરિયાઓનો નિર્દોષ છુટકારો થયો હતો.Body:મૃતક ગાયત્રીબેન તખુજી અર્જુનજી ડાભીના લગ્ન મેઉના વતની ગાંધીનગર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા શંકરજી મગનજી ચાવડા ના પુત્ર મહાવીરસિંહ સાથે સને 2009માં થયેલા ત્યારબાદ મૃતકને વર્ષ 2011માં પુત્રી નવ્યાનો જન્મ થતા મરનારના સાસરી પક્ષના સભ્યો દ્વારા દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. ત્રાસ સહન નહિ થતા મૃતક ગાયત્રીબેને 14 જુલાઈ 15ના રોજ આરોપીઓના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા લીધી હતી. અગાઉ ગાયત્રીબેને તેની દીકરી 4 વર્ષિય નવ્યાનું કોઈ પણ રીતે મોત નિપજાવેલું હતુ.
Conclusion:ત્યારે મૃતકના પિતાએ સસરા ASI શંકરજી મગનજી ચાવડા, સાસુ વીણાબા શંકરજી ચાવડા, મરનારના પતિ મહાવીરસિંહ શંકરજી ચાવડા તથા નણંદ રચનાબેનની વિરુદ્ધમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેનો કેસમા વકીલ ધવલ એ. મહેતા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેને લઇને ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ઇલેશ વોરાની કોર્ટમાં ચાલી જતા ગાંધીનગર સેસન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ફાઇલ ફોટો મુકો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.