ETV Bharat / state

નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ઈચ્છશે તો AAP ગઠબંધન કરવાનું વિચારશેઃ ઈસુદાન - LOCAL BODY ELECTION 2025

બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરીઃ ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવી (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2025, 7:26 PM IST

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, આપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તથા અપક્ષો ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગ્યા છે. આ દરમિયાનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે વાત કરી હતી.

આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી છે. નગરપાલિકાઓની ચૂંટણીમાં લોકો ભાજપને જવાબ આપશે. આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાઓમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે. સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. લાઈટ બીલ પણ નગરપાલિકાઓ ભરી ના શકે તેવી હાલત કરી, તેવી ભાજપને ચૂંટણીમાં જવાબ આપો.

તેમણે કહ્યું કે, કેજરીવાલજીનું નગરરાજનું સપનું લઈને આમ આદમી પાર્ટી આગળ વધશે. નગરરાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનું ફંડ વાપરશે. જો નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે, તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, જો કોંગ્રેસ આગામી નગરપાલિકા ચૂંટણી દરમિયાન ગઠબંધન કરવા માગશે તો અમે તે અંગે પણ વિચારશું.

  1. "તું ખોટી હોંશિયારી નહીં માર" મહુવા TDOને તાલુકા પંચાયત સભ્યએ શર્ટ ફાડી માર માર્યાની ફરિયાદ
  2. નવસારીમાં 'ધાનેરા માંગે ન્યાય', બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ નવસારી પહોંચ્યો

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, આપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તથા અપક્ષો ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગ્યા છે. આ દરમિયાનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે વાત કરી હતી.

આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી છે. નગરપાલિકાઓની ચૂંટણીમાં લોકો ભાજપને જવાબ આપશે. આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાઓમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે. સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. લાઈટ બીલ પણ નગરપાલિકાઓ ભરી ના શકે તેવી હાલત કરી, તેવી ભાજપને ચૂંટણીમાં જવાબ આપો.

તેમણે કહ્યું કે, કેજરીવાલજીનું નગરરાજનું સપનું લઈને આમ આદમી પાર્ટી આગળ વધશે. નગરરાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનું ફંડ વાપરશે. જો નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે, તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, જો કોંગ્રેસ આગામી નગરપાલિકા ચૂંટણી દરમિયાન ગઠબંધન કરવા માગશે તો અમે તે અંગે પણ વિચારશું.

  1. "તું ખોટી હોંશિયારી નહીં માર" મહુવા TDOને તાલુકા પંચાયત સભ્યએ શર્ટ ફાડી માર માર્યાની ફરિયાદ
  2. નવસારીમાં 'ધાનેરા માંગે ન્યાય', બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ નવસારી પહોંચ્યો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.