ETV Bharat / city

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 કેસ નોંધાયા, 14 લોકોને રજા અપાઈ

author img

By

Published : Sep 21, 2021, 9:51 PM IST

કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં 15 થી પણ ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 0, સુરતમાં 4, વડોદરામાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3 એમ કોરોનાના સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં પણ કેસ નહિવાત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

Corona News
Corona News
  • સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 4 કેસ નોંધાયા
  • અમદાવાદ કોર્પોરેશનમાં એક પણ કેસ નહીં
  • 2,95,854 લોકોને વેક્સિન અપાઈ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 21 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 14 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી મોટા ભાગના જિલ્લાઓમાં 0 કેસ કોરોનાના નોંધાયા છે. ખાસ કરીને 3 લાખ જેટલા લોકોને રસી આપવામાં આવી છે.

અત્યાર સુધી 5,73,55,738 નાગરિકોનું વેક્સિનેશન

21 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 2,95,854ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 95,898 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 1,10,644 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 5,73,55,738 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 133 પહોંચ્યા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 133 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 3 વેન્ટિલેટર પર અને 130 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,536 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

  • સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 4 કેસ નોંધાયા
  • અમદાવાદ કોર્પોરેશનમાં એક પણ કેસ નહીં
  • 2,95,854 લોકોને વેક્સિન અપાઈ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 21 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 14 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી મોટા ભાગના જિલ્લાઓમાં 0 કેસ કોરોનાના નોંધાયા છે. ખાસ કરીને 3 લાખ જેટલા લોકોને રસી આપવામાં આવી છે.

અત્યાર સુધી 5,73,55,738 નાગરિકોનું વેક્સિનેશન

21 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 2,95,854ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 95,898 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 1,10,644 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 5,73,55,738 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 133 પહોંચ્યા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 133 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 3 વેન્ટિલેટર પર અને 130 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,536 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.