ETV Bharat / city

NCP કોર્પોરેશન ઇલેક્શનમાં જંપલાવશે, ભાજપે કહ્યું- કોઇ ફરક નહીં પડે

રાજ્યની 6 મહાનગરપાલિકા જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા અને જામનગર કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ છે અને હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. NCP પક્ષ પણ આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવશે.

author img

By

Published : Dec 28, 2020, 3:51 PM IST

etvbharat
etvbharat
  • રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ
  • 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 પક્ષ તરીકે NCP પણ મેદાનમાં
  • ભાજપ, કોંગ્રેસ, AAP અને NCP વચ્ચે જામશે જંગ
  • NCP પ્રથમ વખત કરશે કોર્પોરેશનની તૈયારી

ગાંધીનગર : રાજ્યની 6 મહાનગરપાલિકા જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા અને જામનગર કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ છે અને હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. NCP પક્ષ પણ આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવશે. સાથે જ સ્થાનિક પ્રશ્નોને ઢાલ બનાવીને તેઓ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

કેવી છે NCPની તૈયારી..?

NCPની ચૂંટણીલક્ષી તૈયારીઓ બાબતે NCPના મહામંત્રી નિકુલસિંહ તોમરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મુખ્ય શહેરોમાં ગટરના પાણી અને રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. NCP પક્ષ આ આંતર માળખાકીય સુવિધાઓને લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેશે. સાથે જ આવનારા સમયમાં લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે બાબતને પણ ઉજાગર કરશે.

NCP કોર્પોરેશન ઇલેક્શનમાં જંપલાવશે
કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને કોઈ જવાબ નહીંNCP પક્ષને કોંગ્રેસનો બીજો પક્ષ તરીકે ગણવામાં આવે છે. પરંતુ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ NCP અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હતું અને ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે કે નહીં તે બાબતે હજુ સુધી NCP તરફથી કોઇ જ પ્રકારની વિચારણા કરવામાં આવી નથી. ઉપરાંત ગઠબંધનને લઇને NCPમાંથી કોઈ જ પ્રકારના જવાબ પણ સામે આવ્યા નથી.વોર્ડ દીઠ કરવામાં આવશે આયોજનમહત્વની વાત જોઇએ તો તમામ પક્ષો દ્વારા અત્યારે વોર્ડ દીઠ પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતાની સંપૂર્ણ પેનલ ચૂંટાય તે રીતે તૈયારીઓ કરે છે. ત્યારે દરેક વોર્ડને લગતા તમામ પ્રશ્નો બાબતેની ચર્ચા કરી દરેક વોર્ડ દીઠ અલગ-અલગ પ્રકારનું આયોજન પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરવામાં આવશે.અત્યારે કોઈ વિચારણા નથી પણ અંતિમ સમયે નિર્ણય થશે : કોંગ્રેસNCP સાથે ગઠબંધન બાબતે કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પાર્ટી દ્વારા કોઇ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ અંતિમ સમયે બંને પક્ષો વચ્ચે જે નિર્ણય થાય તે યોગ્ય નિર્ણય હશે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નોને લઈને કોર્પોરેશનના ઇલેક્શનમાં ઉતરશે. જ્યારે NCP સાથે કોંગ્રેસનું કેન્દ્રમાં ગઠબંધન પણ છે તેવું નિવેદન કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ETV BHARAT સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

ભાજપે કહ્યું- ગુજરાતમાં આજ સુધી ત્રીજો પક્ષ ઉભો થઇ શક્યો નથી

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, NCP હોય, આમ આદમી પાર્ટી હોય કે ઓવૈસીનો પક્ષ હોય, તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. કારણ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજી પાર્ટી ઉભી થઇ શકી નથી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના સરકારનું કાર્ય અને રાજ્યમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની આગેવાનીમાં ઘડાયેલી યોજનાઓને લીધે ભાજપ લોકપ્રિય પક્ષ છે.

ભરત પંડ્યાની પ્રતિક્રિયા

ભાજપ કાર્યકારોનું સંખ્યાબળ ભાજપની તાકાત : ભરત પંડ્યા

ભરત પંડ્યાએ કહ્યું કે, ખેડૂતોના ખાતામાં પણ સીધા જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૈસા જમા થાય છે. ખેડૂતોના માટે અગાઉ કદી કોઈ સરકારમાં ના બની હોય તેટલી યોજનાઓ બની છે. નેતૃત્વબળ અને કાર્યકર્તાઓના બળની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી શકે તેમ નથી.

  • રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ
  • 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 પક્ષ તરીકે NCP પણ મેદાનમાં
  • ભાજપ, કોંગ્રેસ, AAP અને NCP વચ્ચે જામશે જંગ
  • NCP પ્રથમ વખત કરશે કોર્પોરેશનની તૈયારી

ગાંધીનગર : રાજ્યની 6 મહાનગરપાલિકા જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા અને જામનગર કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ છે અને હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. NCP પક્ષ પણ આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવશે. સાથે જ સ્થાનિક પ્રશ્નોને ઢાલ બનાવીને તેઓ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

કેવી છે NCPની તૈયારી..?

NCPની ચૂંટણીલક્ષી તૈયારીઓ બાબતે NCPના મહામંત્રી નિકુલસિંહ તોમરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મુખ્ય શહેરોમાં ગટરના પાણી અને રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. NCP પક્ષ આ આંતર માળખાકીય સુવિધાઓને લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેશે. સાથે જ આવનારા સમયમાં લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે બાબતને પણ ઉજાગર કરશે.

NCP કોર્પોરેશન ઇલેક્શનમાં જંપલાવશે
કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને કોઈ જવાબ નહીંNCP પક્ષને કોંગ્રેસનો બીજો પક્ષ તરીકે ગણવામાં આવે છે. પરંતુ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ NCP અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હતું અને ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે કે નહીં તે બાબતે હજુ સુધી NCP તરફથી કોઇ જ પ્રકારની વિચારણા કરવામાં આવી નથી. ઉપરાંત ગઠબંધનને લઇને NCPમાંથી કોઈ જ પ્રકારના જવાબ પણ સામે આવ્યા નથી.વોર્ડ દીઠ કરવામાં આવશે આયોજનમહત્વની વાત જોઇએ તો તમામ પક્ષો દ્વારા અત્યારે વોર્ડ દીઠ પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતાની સંપૂર્ણ પેનલ ચૂંટાય તે રીતે તૈયારીઓ કરે છે. ત્યારે દરેક વોર્ડને લગતા તમામ પ્રશ્નો બાબતેની ચર્ચા કરી દરેક વોર્ડ દીઠ અલગ-અલગ પ્રકારનું આયોજન પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરવામાં આવશે.અત્યારે કોઈ વિચારણા નથી પણ અંતિમ સમયે નિર્ણય થશે : કોંગ્રેસNCP સાથે ગઠબંધન બાબતે કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પાર્ટી દ્વારા કોઇ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ અંતિમ સમયે બંને પક્ષો વચ્ચે જે નિર્ણય થાય તે યોગ્ય નિર્ણય હશે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નોને લઈને કોર્પોરેશનના ઇલેક્શનમાં ઉતરશે. જ્યારે NCP સાથે કોંગ્રેસનું કેન્દ્રમાં ગઠબંધન પણ છે તેવું નિવેદન કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ETV BHARAT સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

ભાજપે કહ્યું- ગુજરાતમાં આજ સુધી ત્રીજો પક્ષ ઉભો થઇ શક્યો નથી

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, NCP હોય, આમ આદમી પાર્ટી હોય કે ઓવૈસીનો પક્ષ હોય, તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. કારણ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજી પાર્ટી ઉભી થઇ શકી નથી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના સરકારનું કાર્ય અને રાજ્યમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની આગેવાનીમાં ઘડાયેલી યોજનાઓને લીધે ભાજપ લોકપ્રિય પક્ષ છે.

ભરત પંડ્યાની પ્રતિક્રિયા

ભાજપ કાર્યકારોનું સંખ્યાબળ ભાજપની તાકાત : ભરત પંડ્યા

ભરત પંડ્યાએ કહ્યું કે, ખેડૂતોના ખાતામાં પણ સીધા જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૈસા જમા થાય છે. ખેડૂતોના માટે અગાઉ કદી કોઈ સરકારમાં ના બની હોય તેટલી યોજનાઓ બની છે. નેતૃત્વબળ અને કાર્યકર્તાઓના બળની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી શકે તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.