ETV Bharat / city

ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત

author img

By

Published : Apr 14, 2021, 7:30 AM IST

ભાવનગર શહેરના 102 વર્ષના રાણીનો 2 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શ્વાસ લેવાની તકલીફ થઇ હતી. તેથી સર ટી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા. ટ્રોમાં સેન્ટરમાં 12 દિવસની સારવારે રાણીએ કોરોનાને માત આપી છે. 12 દિવસમાં 9 દિવસ રાણી ઓક્સિજન પર રહ્યા હતા. જોકે, રાણીબેન 102 વર્ષના છે અને 12 દિવસની સારવારમાં 9 દિવસ ઓક્સિજન પર રહ્યા હોવાનું હોસ્પિટલના તંત્ર દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું.

102 વર્ષના રાણી
102 વર્ષના રાણી
  • ભાવનગરના 102 વર્ષના વયોવૃદ્ધે કોરોનાને મ્હાત આપી
  • માત્ર 12 દિવસમાં 102 વર્ષના રાણીએ કોરોનાને હરાવ્યો
  • કોરોનાને હરાવનાર 102 વર્ષીય રાણી ઉપસ્થિત દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભાવનગર : "ભૂતો ન ભવિષ્યતિ" કહી શકાય તેવી જવલ્લે જ બનતી ઘટનામાં શહેરના 102 વર્ષની જૈફ અને વયોવૃદ્ધ ઉંમર ધરાવતા રાણી શ્યામજી કોજાણીએ માત્ર 12 દિવસમાં કોરોનાને હાર આપી છે. કોરોના સામેનો જંગ 'રાણી'ની જેમ જીતી લીધો છે.

કોરોના સામેનો આ જંગ લડાઈથી સહેજ પણ ઓછો ન હતો

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 12 દિવસની કોરોનાની સારવાર પછી તેમાંથી સાંગોપાંગ બહાર આવ્યા હતા. રાણીબેનને ગઇકાલે મંગળવારે રજા આપવામાં આવી હતી. તેમનો કોરોના સામેનો આ જંગ એક લડાઈથી સહેજ પણ ઓછો ન હતો. છતાં તેમણે આ જંગ જીતી લીધો છે. જીવન-મરણના ત્રાજવા વચ્ચે સંઘર્ષમાં જીતી રાણીબેન 102 વર્ષે પણ અણનમ રહ્યાં છે.

વૃદ્ધાના પરિવારજનો
વૃદ્ધાના પરિવારજનો
12 દિવસના ટૂંકાગાળામાં 102 વર્ષની રાણીએ કોરોનાને આપી મ્હાત


આ 12 દિવસમાંથી રાણીબેન 9 દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા. માત્ર 12 દિવસના ટૂંકાગાળામાં 102 વર્ષની વયોવૃદ્ધ અને જૈફ વયે રાણીએ કોરોનાને હરાવી મેડિકલના ઇતિહાસમાં એક નવી મિશાલ કાયમ કરી છે. તથા યુવાનોને પ્રેરણા પુરી પાડી છે કે, મન મક્કમ હોય તો કોરોના જેવા અનેક રોગોને મનુષ્ય હાર આપી શકે છે. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે 102 વર્ષીય વયોવૃદ્ધ રાણી ત્યાં ઉપસ્થિત સૌ કોઈના આશ્ચર્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતાં.

આ પણ વાંચો : વડોદરામાં માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને આપી મ્હાત


વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારમાં વધારે ચિંતા


શહેરના તળાજા રોડ પર રહેતાં 102 વર્ષીય રાણી કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા. 02 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. આ સમયે તેમના ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતુ. સર તખ્તસિંહજી હોસ્પિટલની મેડિકલ ટીમની સઘન સારવાર તંત્રની શ્રેષ્ઠ સેવા અને રાણીના મક્કમ અને મજબૂત મનોબળનો ત્રિવેણીથી અશક્ય એવી વાત શક્ય બની હતી.

હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષાએ કોરોનાને પરાસ્ત કર્યો

સર તખ્તસિંહજી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, 102 વર્ષની જૈફ વયે સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલા કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરવીએ ખૂબ મુશ્કેલ ટાસ્ક હતું. સમગ્ર હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષા અને રાણીની જીવી જવાની જીજીવિષાએ કોરોનાને પરાસ્ત કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદઃ 99 વર્ષીય વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત

મહત્તમ મૃત્યુ દર 70 કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો


Covid-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉંમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે. તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર 70 કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે. તેવા સમયે 100 વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવોએ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે.

નર્સિંગ સ્ટાફે મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને વિશેષ કાળજી લીધી

102 વર્ષની ઉંમરે પણ સારવાર દરમિયાન રાણી પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમની વર્ષોની નિયમિત આહાર-વિહાર શૈલી તેમણે હોસ્પિટલમાં પણ જાળવી રાખી હતી. સર ટી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે તેમની મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની વિશેષ કાળજી લીધી હતી. તેમના મોં પર ક્યારેય ચિંતા કે ભયની રેખાઓ જોવા મળી ન હતી. એટલે જ રાણીને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે પણ તેઓના ચહેરા પર કોઈ પણ પ્રકારનો કોરોનાનો ભય ન હતો. કોરોના પર વિજય હાંસલ કરી હસતાં મોંઢે ઘરે જવા વિદાય લીધી હતી.

નાની-નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે શ્રેષ્ઠ કાળજી લીધી

સર તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ વિશે રાણીએ જણાવ્યું હતું કે, અહીંનો તમામ સ્ટાફ ખૂબ જ સરળ સ્વભાવનો અને દરેક બાબતે દર્દીને સહાયરૂપ થાય તેવો છે. નાની-નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે મારી શ્રેષ્ઠ કાળજી લીધી છે. જેટલી વાર મને જરૂર પડી તેટલી વાર ડોક્ટરો, નર્સો મારી સેવામાં ખડે પગે હાજર રહ્યા છે. મારા જેવા વયોવૃદ્ધની આટલી બધી દરકાર લેવા બદલ એ સૌનો તથા સમગ્ર તંત્રનો હું આભાર માનું છું.

  • ભાવનગરના 102 વર્ષના વયોવૃદ્ધે કોરોનાને મ્હાત આપી
  • માત્ર 12 દિવસમાં 102 વર્ષના રાણીએ કોરોનાને હરાવ્યો
  • કોરોનાને હરાવનાર 102 વર્ષીય રાણી ઉપસ્થિત દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભાવનગર : "ભૂતો ન ભવિષ્યતિ" કહી શકાય તેવી જવલ્લે જ બનતી ઘટનામાં શહેરના 102 વર્ષની જૈફ અને વયોવૃદ્ધ ઉંમર ધરાવતા રાણી શ્યામજી કોજાણીએ માત્ર 12 દિવસમાં કોરોનાને હાર આપી છે. કોરોના સામેનો જંગ 'રાણી'ની જેમ જીતી લીધો છે.

કોરોના સામેનો આ જંગ લડાઈથી સહેજ પણ ઓછો ન હતો

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 12 દિવસની કોરોનાની સારવાર પછી તેમાંથી સાંગોપાંગ બહાર આવ્યા હતા. રાણીબેનને ગઇકાલે મંગળવારે રજા આપવામાં આવી હતી. તેમનો કોરોના સામેનો આ જંગ એક લડાઈથી સહેજ પણ ઓછો ન હતો. છતાં તેમણે આ જંગ જીતી લીધો છે. જીવન-મરણના ત્રાજવા વચ્ચે સંઘર્ષમાં જીતી રાણીબેન 102 વર્ષે પણ અણનમ રહ્યાં છે.

વૃદ્ધાના પરિવારજનો
વૃદ્ધાના પરિવારજનો
12 દિવસના ટૂંકાગાળામાં 102 વર્ષની રાણીએ કોરોનાને આપી મ્હાત


આ 12 દિવસમાંથી રાણીબેન 9 દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા. માત્ર 12 દિવસના ટૂંકાગાળામાં 102 વર્ષની વયોવૃદ્ધ અને જૈફ વયે રાણીએ કોરોનાને હરાવી મેડિકલના ઇતિહાસમાં એક નવી મિશાલ કાયમ કરી છે. તથા યુવાનોને પ્રેરણા પુરી પાડી છે કે, મન મક્કમ હોય તો કોરોના જેવા અનેક રોગોને મનુષ્ય હાર આપી શકે છે. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે 102 વર્ષીય વયોવૃદ્ધ રાણી ત્યાં ઉપસ્થિત સૌ કોઈના આશ્ચર્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતાં.

આ પણ વાંચો : વડોદરામાં માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને આપી મ્હાત


વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારમાં વધારે ચિંતા


શહેરના તળાજા રોડ પર રહેતાં 102 વર્ષીય રાણી કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા. 02 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. આ સમયે તેમના ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતુ. સર તખ્તસિંહજી હોસ્પિટલની મેડિકલ ટીમની સઘન સારવાર તંત્રની શ્રેષ્ઠ સેવા અને રાણીના મક્કમ અને મજબૂત મનોબળનો ત્રિવેણીથી અશક્ય એવી વાત શક્ય બની હતી.

હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષાએ કોરોનાને પરાસ્ત કર્યો

સર તખ્તસિંહજી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, 102 વર્ષની જૈફ વયે સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલા કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરવીએ ખૂબ મુશ્કેલ ટાસ્ક હતું. સમગ્ર હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષા અને રાણીની જીવી જવાની જીજીવિષાએ કોરોનાને પરાસ્ત કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદઃ 99 વર્ષીય વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત

મહત્તમ મૃત્યુ દર 70 કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો


Covid-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉંમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે. તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર 70 કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે. તેવા સમયે 100 વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવોએ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે.

નર્સિંગ સ્ટાફે મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને વિશેષ કાળજી લીધી

102 વર્ષની ઉંમરે પણ સારવાર દરમિયાન રાણી પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમની વર્ષોની નિયમિત આહાર-વિહાર શૈલી તેમણે હોસ્પિટલમાં પણ જાળવી રાખી હતી. સર ટી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે તેમની મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની વિશેષ કાળજી લીધી હતી. તેમના મોં પર ક્યારેય ચિંતા કે ભયની રેખાઓ જોવા મળી ન હતી. એટલે જ રાણીને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે પણ તેઓના ચહેરા પર કોઈ પણ પ્રકારનો કોરોનાનો ભય ન હતો. કોરોના પર વિજય હાંસલ કરી હસતાં મોંઢે ઘરે જવા વિદાય લીધી હતી.

નાની-નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે શ્રેષ્ઠ કાળજી લીધી

સર તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ વિશે રાણીએ જણાવ્યું હતું કે, અહીંનો તમામ સ્ટાફ ખૂબ જ સરળ સ્વભાવનો અને દરેક બાબતે દર્દીને સહાયરૂપ થાય તેવો છે. નાની-નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે મારી શ્રેષ્ઠ કાળજી લીધી છે. જેટલી વાર મને જરૂર પડી તેટલી વાર ડોક્ટરો, નર્સો મારી સેવામાં ખડે પગે હાજર રહ્યા છે. મારા જેવા વયોવૃદ્ધની આટલી બધી દરકાર લેવા બદલ એ સૌનો તથા સમગ્ર તંત્રનો હું આભાર માનું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.