અમદાવાદઃ ગલ્લા તેમ જ દુકાનની આગળ ગંદકી દેખાય તો કોર્પોરેશન દ્વારા ગલ્લાઓને સીલ કરી દેવાય છે તેમ જ 10,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામા આવી છે. તો કોર્પોરેટર અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વિસ્તારમા સ્વચ્છતા રાખવામા ન આવતી હોય તો જનતા દ્વારા મેમો આપવામાં કેમ ન આવે ?
વાસણા વોર્ડ ખાતે વારંવાર રસ્તા તેમ જ ગંદકીના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા અરજીઓ આપવામા આવેલી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકીનો નિકાલ ન થતા આજરોજ રાષ્ટ્રીય નિર્માણસેનાના ગુજરાત પ્રમુખ અનિલ દાફડા અને અમદાવાદ શહેરનું પ્રતિનિધિ મંડળ દ્વારા વાસણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પર જઈને જનતા મેમો આપવામાં આવ્યો હતો.ે આગામી દિવસોમાં આ ગંદકીનો નિકાલ નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા આ કચરાને જાતે ઉઠાવી કોર્પોરેશનની ઓફિસમાં નાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ગંદકી અને રોગચાળાનો પ્રશ્ન સર્જાશે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિસ્તારની સાફસફાઈ રખાય તે ખૂબ જ જરૂરી છે.