ETV Bharat / city

અમદાવાદ : ચર્ચમાં ફક્ત પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરાઈ

author img

By

Published : Dec 25, 2020, 7:58 PM IST

દુનિયાભરમાં લોકો આજે કોરોના ગાઈડલાઈન્સ સાથે ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભારત સહિત બાકીના દેશોમાં પણ ક્રિસમસની ધૂમ છે. મોટા ભાગના લોકો ક્રિસમસનો પર્વ ઘરે ઉજવી રહ્યા છે. મહામારી અને કોરોનાના નવા સ્ટ્રેનના ડરમાં દર વર્ષની જેમ ક્રિસમસની રોનક બજારોમાં જોવા મળી શકી નહીં, પરંતુ કોરોના કાળમાં પણ ક્રિસમસ માટે લોકોમાં ઉત્સાહ છે. દેશ-વિદેશના ઘણા ચર્ચને ક્રિસમસ તહેવાર પર બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ લોકો ચર્ચની બહાર મોટી સંખ્યામાં આવીને ક્રિસમસનો પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવી રહ્યા છે.

ક્રિસમસ
ક્રિસમસ
  • ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં ક્રિસમસની ઉજવણી કરી
  • માત્ર 200 લોકોની હાજરીમાં ચર્ચમાં કરાઈ પ્રાર્થના સભા
  • થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ કોરોના બનશે ગ્રહણ

અમદાવાદઃ દર વર્ષે અમદાવાદ સહિત દેશભરના ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તમામ તહેવારોને ગ્રહણ લાગી ગયું છે. સરકારે દરેક ઉજવણી કે પ્રસંગમાં 200 લોકોની સીમા નક્કી કરી દીધી છે. અમદાવાદના ચર્ચમાં પણ માત્ર પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં પણ ખૂબ જ સાદગી પૂર્વક માત્ર 200 લોકોની હાજરીમાં નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાર્થના સભા
અમદાવાદના ચર્ચમાં ફક્ત પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરાઈ
કોરોના ગાઈડલાઈન સાથે ક્રિસમસની ઉજવણી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ક્રિસમસની ઉજવણી થઈ હતી. ચર્ચમાં આવેલા તમામ લોકોએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરી ભગવાન ઈસુની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

  • ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં ક્રિસમસની ઉજવણી કરી
  • માત્ર 200 લોકોની હાજરીમાં ચર્ચમાં કરાઈ પ્રાર્થના સભા
  • થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ કોરોના બનશે ગ્રહણ

અમદાવાદઃ દર વર્ષે અમદાવાદ સહિત દેશભરના ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તમામ તહેવારોને ગ્રહણ લાગી ગયું છે. સરકારે દરેક ઉજવણી કે પ્રસંગમાં 200 લોકોની સીમા નક્કી કરી દીધી છે. અમદાવાદના ચર્ચમાં પણ માત્ર પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં પણ ખૂબ જ સાદગી પૂર્વક માત્ર 200 લોકોની હાજરીમાં નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાર્થના સભા
અમદાવાદના ચર્ચમાં ફક્ત પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરાઈ
કોરોના ગાઈડલાઈન સાથે ક્રિસમસની ઉજવણી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ક્રિસમસની ઉજવણી થઈ હતી. ચર્ચમાં આવેલા તમામ લોકોએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરી ભગવાન ઈસુની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.