અમદાવાદઃ એસટી બસમાં અમદાવાદ અને સૂરતમાં 50% સીટિંગ કેપેસિટીના પ્રવાસીઓને જ બેસાડવામાં આવે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં એસટી બસની કેપેસિટીના 60 ટકા મુસાફરોને બેસાડવામાં આવે છે. દરેક પ્રવાસીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે અને ફક્ત કોરોનાના લક્ષણો વગરના પેસેન્જરોને જ જવાની પરવાનગી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ વિભાગની વાત કરવામાં આવે તો દરરોજની રૂપિયા 65 લાખની રેવન્યુ આવક હોય છે. પરંતુ બસમાં તેની સીટીંગ કેપેસિટી કરતા અડધા પેસેન્જર બેસાડવામાં આવે છે. તો બીજી તરફ અમુક રાજ્યોમાં પણ બોર્ડર હોવાથી બંધ હોવાથી અને પેસેન્જર ઓછા હોવાથી એસ.ટીની આવકમાં ઘટાડો થયો છે.
