ETV Bharat / bharat

Nitin Gadakari News: ગડકરીએ ડીઝલ વાહનોના GST પર 10 ટકા વધારો પોલ્યુશન ટેક્સ તરીકે લેવાની માંગ કરી છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 2:56 PM IST

Updated : Sep 13, 2023, 4:37 PM IST

મંગળવારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ડીઝલ વ્હીકલના જીએસટીમાં 10 ટકા વધારાની માંગ કરી છે. આ વધારો પોલ્યુશન ટેક્સના સ્વરૂપે વસૂલવામાં આવશે. આ ટેક્સને પરિણામે એર પોલ્યુશનમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. વાંચો નીતિન ગડકરીની જીએસટીમાં વધારાની માંગણી વિશે વિસ્તારપૂર્વક.

જીએસટી પર 10 ટકાનો વધારો પોલ્યુશન ટેક્સ તરીકે વધારો કરો
જીએસટી પર 10 ટકાનો વધારો પોલ્યુશન ટેક્સ તરીકે વધારો કરો

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે, તેઓ ડીઝલ વ્હીકલના જીએસટીમાં 10 ટકાનો વધારો કરવાની માંગણી કરશે. આ 10 ટકાનો વધારો પોલ્યુશન ટેક્સના સ્વરૂપમાં હશે. 63મી એન્યુઅલ SIAM કન્વેન્શનમાં તેમણે આ માંગણી વિશે જણાવ્યું હતું. ગડકરી માને છે કે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા પ્રદૂષણને ડામવા માટે આ અત્યંત જરૂરી પગલું છે.

  • There is an urgent need to clarify media reports suggesting an additional 10% GST on the sale of diesel vehicles. It is essential to clarify that there is no such proposal currently under active consideration by the government. In line with our commitments to achieve Carbon Net…

    — Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જીએસટી પર 10 ટકાના વધારાની માંગણીઃ ગડકરીએ ડીઝલ વ્હીકલમાં લાગતા જીએસટી પર 10 ટકાના વધારાની માંગણી કરતો પત્ર નાણાંપ્રધાનને આપશે તેમ જણાવ્યું હતું. દેશમાં મોટાભાગના કોમર્શિયલ વ્હીકલ્સ ડીઝલ આધારિત છે. જ્યારે પેસેન્જર વ્હીકલ્સના ઉત્પાદન કર્તા મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડાએ ડીઝલ વ્હીકલ ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું છે.

ડીઝલ વ્હીકલનું ઉત્પાદન ઘટવું જોઈએઃ દેશના વ્હીકલ માર્કેટમાં ડીઝલ વ્હીકલનું ઉત્પાદન અને વેચાણ અટકે તે અત્યંત આવશ્યક છે. ઈંધણની માંગને પહોંચી વળવા માટે હાનિકારક ડીઝલને બદલે અન્ય ઈંધણને આયાત કરવું જોઈએ. ડીઝલથી થતાં પ્રદુષણને અટકાવવા ડીઝલ વ્હીકલનું ઉત્પાદન અટકવું જોઈએ. તેથી અમે ડીઝલ વ્હીકલના વેચાણ પર 10 ટકા ટેક્સ વધારવાની માંગણી કરી રહ્યા છીએ.

ડીઝલ જનરેટર્સ પર પણ જીએસટી વધશેઃ ડીઝલ પાવર જનરેટર્સ પર પણ જીએસટીમાં વધારો કરવાની તેઓ માંગણી કરશે. ઓટોમોબાઈલ પર વર્તમાનમાં 28 ટકા જીએસટી લાગે છે. એસયુવી સેગમેન્ટના વ્હીકલ પર હાઈએસ્ટ 28 ટકા જીએસટી લાગે છે. ગડકરીએ પર્યાવરણ માટે બિનહાનિકારક એવા અન્ય ઈંધણ ઈથેનોલ પર ભાર મૂકવાની અપીલ કરી છે. તેમને ઈન્ડસ્ટ્રીને ગ્રીન હાઈડ્રોજન પર સંશોધન કરવા જણાવ્યું છે. (પીટીઆઈ)

Green Vehicles : નીતિન ગડકરી ઓગસ્ટ 29ના રોજ 100 ટકા ઈથેનોલથી ચાલતી કાર લોન્ચ કરશે

Gorakhpur News: 10 હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટની ભેટ આપશે નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે, તેઓ ડીઝલ વ્હીકલના જીએસટીમાં 10 ટકાનો વધારો કરવાની માંગણી કરશે. આ 10 ટકાનો વધારો પોલ્યુશન ટેક્સના સ્વરૂપમાં હશે. 63મી એન્યુઅલ SIAM કન્વેન્શનમાં તેમણે આ માંગણી વિશે જણાવ્યું હતું. ગડકરી માને છે કે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા પ્રદૂષણને ડામવા માટે આ અત્યંત જરૂરી પગલું છે.

  • There is an urgent need to clarify media reports suggesting an additional 10% GST on the sale of diesel vehicles. It is essential to clarify that there is no such proposal currently under active consideration by the government. In line with our commitments to achieve Carbon Net…

    — Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જીએસટી પર 10 ટકાના વધારાની માંગણીઃ ગડકરીએ ડીઝલ વ્હીકલમાં લાગતા જીએસટી પર 10 ટકાના વધારાની માંગણી કરતો પત્ર નાણાંપ્રધાનને આપશે તેમ જણાવ્યું હતું. દેશમાં મોટાભાગના કોમર્શિયલ વ્હીકલ્સ ડીઝલ આધારિત છે. જ્યારે પેસેન્જર વ્હીકલ્સના ઉત્પાદન કર્તા મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડાએ ડીઝલ વ્હીકલ ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું છે.

ડીઝલ વ્હીકલનું ઉત્પાદન ઘટવું જોઈએઃ દેશના વ્હીકલ માર્કેટમાં ડીઝલ વ્હીકલનું ઉત્પાદન અને વેચાણ અટકે તે અત્યંત આવશ્યક છે. ઈંધણની માંગને પહોંચી વળવા માટે હાનિકારક ડીઝલને બદલે અન્ય ઈંધણને આયાત કરવું જોઈએ. ડીઝલથી થતાં પ્રદુષણને અટકાવવા ડીઝલ વ્હીકલનું ઉત્પાદન અટકવું જોઈએ. તેથી અમે ડીઝલ વ્હીકલના વેચાણ પર 10 ટકા ટેક્સ વધારવાની માંગણી કરી રહ્યા છીએ.

ડીઝલ જનરેટર્સ પર પણ જીએસટી વધશેઃ ડીઝલ પાવર જનરેટર્સ પર પણ જીએસટીમાં વધારો કરવાની તેઓ માંગણી કરશે. ઓટોમોબાઈલ પર વર્તમાનમાં 28 ટકા જીએસટી લાગે છે. એસયુવી સેગમેન્ટના વ્હીકલ પર હાઈએસ્ટ 28 ટકા જીએસટી લાગે છે. ગડકરીએ પર્યાવરણ માટે બિનહાનિકારક એવા અન્ય ઈંધણ ઈથેનોલ પર ભાર મૂકવાની અપીલ કરી છે. તેમને ઈન્ડસ્ટ્રીને ગ્રીન હાઈડ્રોજન પર સંશોધન કરવા જણાવ્યું છે. (પીટીઆઈ)

Green Vehicles : નીતિન ગડકરી ઓગસ્ટ 29ના રોજ 100 ટકા ઈથેનોલથી ચાલતી કાર લોન્ચ કરશે

Gorakhpur News: 10 હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટની ભેટ આપશે નીતિન ગડકરી

Last Updated : Sep 13, 2023, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.