નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદાને સંદર્ભે તેમનો વિરોધ નથી, પરંતુ આ કાયદાથી કોઈક એક સમુદાયને વંચિત રખવામાં આવ્યા છે, તેનો વિરોધ છે. આ કાયદાથી ભારતીય નાગરિકતા પર હુમલો કરાયો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ બુધવારે જેએનયુમાં સીએએ-એનઆરસીના કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા.
ચિદમ્બરમે કહ્યું કે, CAAનો કાયદાકીય રીતે વિરોધ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટ કાયદો દૂર કરશે. રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી (NRP)નો રાજકીય વિરોધ કરવો જોઈએ. આપણે એ તમામ લોકોનું સમર્થન જોઈએ, જે તેનો વિરોધ કરી રહ્યાં છે. આપણે સરકારને કાયદો રદ્દ કરવા સફળ થઈશું.