ETV Bharat / bharat

કાશ્મીરે ત્રણ મહિનામાં 6 લાખ ટન ફળોની નિકાસ કરીઃ મુખ્ય સચિવ - કાશ્મીરે ત્રણ મહિનામાં 6 લાખ ટન ફળોની નિકાસ કરી

શ્રીનગરઃ સરકારી પ્રવક્તાએ શુક્રવારે જાણાવ્યું કે, કાશ્મીર ઘાટીમાંથી છેલ્લા 3 મહિનામાં 6 લાખ ટન તાજા ફળોની નિકાસ કરવામાં આવી છે. મુખ્ય સચિવ અસગર હસન સામુને મીટિંગમાં અધિકારીઓને ટકોર કરી કે, ટ્રક ચાલકો જમ્મુ કાશ્મીરની અંદર તથા બહાર ફળોની હેરફેર નિયત કરેલા ભાડાથી જ કરે છે કે કેમ તેનું નિયમન કરે અને ફળોની હેરફેર કરતા ટ્રકોની અવર જવર માટે રાજ્યમાર્ગોને સુવિધાજનક કરવા પણ કહ્યું હતું.

Kashmir exports fruits
author img

By

Published : Oct 26, 2019, 5:30 PM IST

કાશ્મીર ઘાટીમાંથી છેલ્લા 3 મહિનામાં 6 લાખ ટન તાજા ફળોની નિકાસ કરવામાં આવી છે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં કાશ્મીર ખીણમાંથી 41,672 ટ્રકમાં 5,88,123 ટન તાજા ફળો બહાર મોકલવામાં આવ્યા છે. પશુઓ, બકરીઓ, મત્સ્યઉદ્યોગ અને પરિવહન વિભાગના મુખ્ય સચિવ અસગર હસન સામુને મીટિંગમાં ખીણમાંથી ફળો નિકાસ માટેની પરિવહન સુવિધાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કુલગામ, શોપિયન, અનંતનાગ, સોપોર, બારામુલ્લા, ચારારી શરીફ, પુલવામા અને પરિમપોરાના ફળ ઉત્પાદક યુનિયનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતાં.

ઑગષ્ટ મહિનામાં ઘાટીમાંથી 5,070 ટ્રકોમાં 66,492 ટનનો નિકાસ થયો હતો, સપ્ટેમ્બર મહિનામાં 11,837 ટ્રકોમાં, 1,64,072.66 ટન ફળનો નિકાસ કર્યો હતો. ઑક્ટોબરની 20 તારીખ સુધીમાં 24,765 ટ્રકોમાં 3,57,558.30 ટન ફળોની નિકાસ કરી હતી.

દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓએ 11 દિવસમાં 3 ટ્રક ડ્રાઈવર સહિત 4 લોકોની હત્યા કરી તેમના ટ્રકો સળગાવી દીધા હતાં. આ ટ્રક ડ્રાઈવરો સફરજનની હેરફેર માટે ત્યાં ગયા હતાં.

કાશ્મીર ઘાટીમાંથી છેલ્લા 3 મહિનામાં 6 લાખ ટન તાજા ફળોની નિકાસ કરવામાં આવી છે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં કાશ્મીર ખીણમાંથી 41,672 ટ્રકમાં 5,88,123 ટન તાજા ફળો બહાર મોકલવામાં આવ્યા છે. પશુઓ, બકરીઓ, મત્સ્યઉદ્યોગ અને પરિવહન વિભાગના મુખ્ય સચિવ અસગર હસન સામુને મીટિંગમાં ખીણમાંથી ફળો નિકાસ માટેની પરિવહન સુવિધાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કુલગામ, શોપિયન, અનંતનાગ, સોપોર, બારામુલ્લા, ચારારી શરીફ, પુલવામા અને પરિમપોરાના ફળ ઉત્પાદક યુનિયનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતાં.

ઑગષ્ટ મહિનામાં ઘાટીમાંથી 5,070 ટ્રકોમાં 66,492 ટનનો નિકાસ થયો હતો, સપ્ટેમ્બર મહિનામાં 11,837 ટ્રકોમાં, 1,64,072.66 ટન ફળનો નિકાસ કર્યો હતો. ઑક્ટોબરની 20 તારીખ સુધીમાં 24,765 ટ્રકોમાં 3,57,558.30 ટન ફળોની નિકાસ કરી હતી.

દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓએ 11 દિવસમાં 3 ટ્રક ડ્રાઈવર સહિત 4 લોકોની હત્યા કરી તેમના ટ્રકો સળગાવી દીધા હતાં. આ ટ્રક ડ્રાઈવરો સફરજનની હેરફેર માટે ત્યાં ગયા હતાં.

Intro:Body:

jk


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.