ETV Bharat / bharat

જીંદમાં AAPની કિસાન મહાપંચાયત, અરવિંદ કેજરીવાલ શામેલ થશે

author img

By

Published : Apr 4, 2021, 1:36 PM IST

ખેડૂતોમાં ભાજપના વિરોધને કારણે હરિયાણાના જીંદમાં આજે રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે. આથી સ્પષ્ટ છે કે, કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી હરિયાણામાં લોકોના હૃદયમાં સ્થાન બનાવવા માંગે છે.

જીંદમાં AAPની કિસાન મહાપંચાયત, અરવિંદ કેજરીવાલ શામેલ થશે
જીંદમાં AAPની કિસાન મહાપંચાયત, અરવિંદ કેજરીવાલ શામેલ થશે
  • જીંદમાં ખેડૂત મહાપંચાયત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ
  • 300 ખેડુતોની શહાદત પર કુંભકરણ થઈ સરકાર સૂઈ રહી છે: સુશીલ ગુપ્તા
  • મોદી સરકારની આંખો ખોલવા માટે કિસાન મહાપંચાયત બોલાવી

જીંદ(હરિયાણા): જીંદમાં આજે રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે. જીંદના હુડ્ડા સેક્ટરમાં યોજાનારી આ મહાપંચાયતને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સંબોધન કરશે. આ કિસાન મહાપંચાયતમાં ભગવંત માન, વરિષ્ઠ નેતા ગોપાલ રાય ઉપરાંત, હરિયાણાની ભૂમિથી જોડાયેલા દિલ્હીના વરિષ્ઠ નેતાઓ પણ સંબોધન કરશે.

આ પણ વાંચો: કિસાન મહાપંચાયતમાં બોલ્યા કેજરીવાલ - કેન્દ્ર સરકારે જ કરાવ્યો છે લાલ કિલ્લા કાંડ

હરિયાણાના રાજકારણ પર નજર

ખાસ વાત એ છે કે, હવે આમ આદમી પાર્ટી હરિયાણામાં રાજકીય જમીન તૈયાર કરવા પ્રયાસ કરી રહી છે. ખેડૂતોમાં ભાજપનો વિરોધ જ AAPને હરિયાણા તરફ આકર્ષિત કરી રહ્યો છે. આ અગાઉ, રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ પૂર્વે જ આમ આદમી પાર્ટીએ સિમ્બોલ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સ્પષ્ટ છે કે, કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી હરિયાણામાં લોકોના હૃદયમાં સ્થાન બનાવવા માંગે છે.

આ પણ વાંચો: ગુજરાતની જનતાને મોદી સરકારથી મુક્ત કરાવવી પડશે :રાકેશ ટિકૈત

જીંદ આ માટે પસંદ કર્યું

કિસાન મહાપંચાયત માટે આમ આદમી પાર્ટીએ ખૂબ જ કાળજીપૂર્વક જીંદની પસંદગી કરી છે. એવું કહેવામાં આવે છે કે, જીંદમાં રેલી કર્યા વિના પ્રદેશમાં કોઈ રાજકીય પક્ષ હરિયાણાની સત્તા સંભાળી શક્યું નથી. બીજું કારણ એ પણ છે કે, જીંદ હરિયાણાની મધ્યમાં આવેલું છે. અહીં રેલી કાઢવાથી તેની અસર સમગ્ર હરિયાણામાં થઈ શકે છે.

  • જીંદમાં ખેડૂત મહાપંચાયત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ
  • 300 ખેડુતોની શહાદત પર કુંભકરણ થઈ સરકાર સૂઈ રહી છે: સુશીલ ગુપ્તા
  • મોદી સરકારની આંખો ખોલવા માટે કિસાન મહાપંચાયત બોલાવી

જીંદ(હરિયાણા): જીંદમાં આજે રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે. જીંદના હુડ્ડા સેક્ટરમાં યોજાનારી આ મહાપંચાયતને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સંબોધન કરશે. આ કિસાન મહાપંચાયતમાં ભગવંત માન, વરિષ્ઠ નેતા ગોપાલ રાય ઉપરાંત, હરિયાણાની ભૂમિથી જોડાયેલા દિલ્હીના વરિષ્ઠ નેતાઓ પણ સંબોધન કરશે.

આ પણ વાંચો: કિસાન મહાપંચાયતમાં બોલ્યા કેજરીવાલ - કેન્દ્ર સરકારે જ કરાવ્યો છે લાલ કિલ્લા કાંડ

હરિયાણાના રાજકારણ પર નજર

ખાસ વાત એ છે કે, હવે આમ આદમી પાર્ટી હરિયાણામાં રાજકીય જમીન તૈયાર કરવા પ્રયાસ કરી રહી છે. ખેડૂતોમાં ભાજપનો વિરોધ જ AAPને હરિયાણા તરફ આકર્ષિત કરી રહ્યો છે. આ અગાઉ, રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ પૂર્વે જ આમ આદમી પાર્ટીએ સિમ્બોલ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સ્પષ્ટ છે કે, કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી હરિયાણામાં લોકોના હૃદયમાં સ્થાન બનાવવા માંગે છે.

આ પણ વાંચો: ગુજરાતની જનતાને મોદી સરકારથી મુક્ત કરાવવી પડશે :રાકેશ ટિકૈત

જીંદ આ માટે પસંદ કર્યું

કિસાન મહાપંચાયત માટે આમ આદમી પાર્ટીએ ખૂબ જ કાળજીપૂર્વક જીંદની પસંદગી કરી છે. એવું કહેવામાં આવે છે કે, જીંદમાં રેલી કર્યા વિના પ્રદેશમાં કોઈ રાજકીય પક્ષ હરિયાણાની સત્તા સંભાળી શક્યું નથી. બીજું કારણ એ પણ છે કે, જીંદ હરિયાણાની મધ્યમાં આવેલું છે. અહીં રેલી કાઢવાથી તેની અસર સમગ્ર હરિયાણામાં થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.