શ્રાવણ મહિનાની પંચમીના દિવસે સોમનાથ મહાદેવને કરાયો વાસુકી નાગ દર્શન શૃંગાર - Somnath Mahadev Vasuki Nag Darshan - SOMNATH MAHADEV VASUKI NAG DARSHAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-08-2024/640-480-22177722-thumbnail-16x9-jpg-new.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 11, 2024, 11:05 AM IST
સોમનાથ: શ્રાવણ મહિના દરમિયાનના 30 દિવસ દરમિયાન સોમનાથ મહાદેવને વિષેશ દિવસો અને તિથિને અનુરૂપ શૃંગાર કરવાની એક પરંપરા ચાલતી આવે છે, ત્યારે શ્રાવણ મહિનાની પંચમીએ સોમનાથ મહાદેવને વાસુકી નાગ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિનાની પંચમીના દિવસે સોમનાથ મહાદેવને વાસુકી નાગ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો 100 કિલો જેટલા પુષ્પોનો ઉપયોગ કરીને મંદિરના પંડિતો દ્વારા શિવલિંગ પર વાસુકી નાગ દર્શન શૃંગાર પૂર્ણ કર્યો હતો. શિવ ચાલીસા અને પુરાણ અનુસાર શ્રાવણ મહિનાની પંચમીના દિવસે નાગદેવતાની આરાધના અને દર્શન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, વાસુકી નાગ ખુદ સોમનાથ મહાદેવના પરમ ભક્ત હતા. જેને કારણે મહાદેવે સ્વયમ વાસુકી નાગને આભૂષણ તરીકે તેમના ગળામાં ધારણ કરવામાં આવ્યો હતો.