thumbnail

રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં પુષ્પાંજલિ અપાઈ - Rajivgandhi 33th Death Anniversary

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 3:44 PM IST

અમદાવાદ: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૩૩મી પુણ્યતિથિ છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આજે હિંમતસિંહ પટેલ તથા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમદાવાદ મ્યુનિસિપલ વિપક્ષ નેતા સહેજાદ ખાન અહીં હજાર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે રાજીવ ગાંધી વિશે જણાવતાં કહ્યું હતું કે, તેમના દ્વારા આ દેશમાં કોમ્પ્યુટર લાવવામાં આવ્યું હતું. તેમની દીર્ઘ દૃષ્ટિ હતી જેના કારણે આજે દેશ ડિજિટલ રીતે ઘણો આગળ છે. એક રાજ્યથી બીજા રાજ્ય અને એક દેશથી બીજા દેશમાં થતી પૈસા અને વાતોની અવર જવરમાં અત્યારે દેશ જેટલો આગળ છે તે તેમની દીર્ઘદ્રષ્ટિ વિના કદાચના હોત. સદીઓમાં કોઈ એવી હસતી થતી હોય છે જેમને લોકો લાંબા સમય સુધી યાદ રાખે છે. એ હસતીઓ પૈકી એક એટલે રાજીવ ગાંધી.  રાજીવ ગાંધી દેશ માટે બોફર્સ ગન લાવ્યા ત્યારે તેમનો ખૂબજ વિરોધ કરવામાં આવ્યો હતો પણ કારગીલનું યુદ્ધ બોફર્સ ગનના કારણે જીત્યા હતા. તે રાજીવ ગાંધીની દીર્ઘ દૃષ્ટિ હતી. ગુજરાતમાં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે લોકોએ છાશની માંગ કરી હતી અને ત્યારે રાજીવ ગાંધી દ્વારા કોંગ્રેસ પાર્ટીને કહીને સમગ્ર જગ્યા પર છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.