thumbnail

ઘણી વખત એકઝિટ પોલ ખોટા પડ્યા, ઇન્ડિયા ગઠબંધનની 290 થી 295 સીટ મેળવવાની આશા: લલિત વસોયા - lok sabha election result 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 6:53 AM IST

ધોરાજી: 4 જૂન 2024ના રોજ એટલે કે આજે લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે. ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા એ કર્યો જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે આ વખતે મતદારો ભાજપને જાકારો આપી, કોંગ્રેસ પાંચ વચનો આપીયા છે. એમની ઉપર વિશ્વાસ રાખી મતદારો મત આપશે. અને અમને વિજયની આશા છે. આ વખતે ખેડૂતો આદિવાસી અને સામાન્ય પ્રજા પણ નીતિ રીતિથી કંટાળી છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે. ત્યારે ભૂતકાળમાં ઘણી વખત એકઝિટ પોલ ખોટા પણ પડ્યા છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનની 290 થી 295 સીટ મેળવવાની આશા છે. અને ગુજરાતમાં 6 સીટો ઉપર આપ અને કોંગ્રેસ બેઠકો જીત મેળવશે. ચૂંટણી પછી મોંઘવારીનો કોરડા વીજવાનું શરૂ થય ગયું છે. ટોલ ટેક્ષ અને અમુલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.