કામરેજમાં બસની અડફેટે ચડતા 14 વર્ષીય બાળકીનું મોત, ફરાર બસચાલકની તપાસ શરુ - Surat accident - SURAT ACCIDENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-08-2024/640-480-22266408-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 22, 2024, 8:18 AM IST
સુરત : નેત્રંગ ગામ ખાતે 14 વર્ષીય બાળકીનું બસ અડફેટે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના નેત્રંગ ગામે રહેતા કાંતિભાઈ ભરતભાઈ રાઠોડની 14 વર્ષીય દીકરી ગતરોજ તેના ફળિયાના વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતી હતી. આ દરમિયાન કામરેજ તરફથી આવતી પીળા કલરની સ્કૂલ બસની અડફેટે આવતા બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ બાળકીના પરિવારને બનાવની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 ટીમે બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. પોતાની વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. અકસ્માત બાદ બસચાલક ઘટનાસ્થળે જ બસ મૂકીને નાસી ગયો હતો. આ મામલે પોલીસે બસચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.