અમદાવાદથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા LIVE, ઉમટ્યું માનવ મહેરામણ... - AHMEDABAD RATHYATRA 2024 LIVE
Published : Jul 7, 2024, 3:18 PM IST
|Updated : Jul 7, 2024, 4:13 PM IST
અમદાવાદ: આજે અમદાવાદમાં વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. આજે સવારે નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા પહેલા એક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. જેમાં નાથની નગર યાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના પ્રથમ સેવક હોવાથી સોનાની સાવરણી સાથે પહિંડા વિધિ કરે છે. ગુજરાતમાં આ વિધિ પહિંદ વિધિ તરીકે ઓળખાય છે.
Last Updated : Jul 7, 2024, 4:13 PM IST