પોરબંદર પોલીસ હેડક્વાર્ટરમાં અકસ્માત : વાયરમેનનું મોત, નજરકેદ કેદી ઈજાગ્રસ્ત - Porbandar Accident

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 8:46 AM IST

thumbnail
પોલીસ હેડક્વાર્ટરમાં અકસ્માત : વાયરમેનનું મોત (ETV Bharat Gujarat)

પોરબંદર : પોલીસ હેડક્વાર્ટરમાં અકસ્માત સર્જાયો છે. જેમાં ક્રેન પર ચડી વાયરીંગ રીપેરીંગનું કામ કરતા સમયે ક્રેન પડતા પોરબંદરના એક વાયરમેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. પ્રાથમિક રીતે મળેલી માહિતી અનુસાર પોરબંદરમાં રાવલિયા પ્લોટ શેરી નંબર 3 આશાપુરા કૃપામાં રહેતા 64 વર્ષીય વાયરમેન યોગેશભાઈ મનસુખલાલ થાનકી પોરબંદર પોલીસ હેડક્વાર્ટરમાં વાયરિંગનું કામ કરતા હતા. તે સમયે ક્રેન પલડી મારી જતા ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે નીચે ઉભેલા નજરકેદ કેદી મિર્ઝાન હબીબ ખાનને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃતક યોગેશ થાનકીનો મૃતદેહ પીએમ અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડી પોરબંદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.