ETV Bharat / state

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે રાજપુતાણીઓ ઉપવાસ પર બેઠી - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 4:02 PM IST

ગુજરાતની 26 લોકસભા સીટ માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ગાંધીનગર ખાતે ક્ષત્રિય મહિલાઓ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉપવાસ પર બેઠી છે. તેમણે ઢોલ વગાડી ભજન કરી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ભાજપ આઈકમાનને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે રાજપુતાણીઓ ઉપવાસ પર બેઠી
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે રાજપુતાણીઓ ઉપવાસ પર બેઠી

ઢોલ વગાડી ભજન કરી ઉપવાસ

ગાંધીનગર : રાજકોટથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ સતત માંગણી કરી રહ્યો છે. ભાજપે ક્ષત્રિય સમાજ માંગણી ન સ્વીકારતા ક્ષત્રિય સમાજે આજે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યો છે. સમાજે ગુજરાતભરમાં ભાજપનો વિરોધ કરવાનો એલાન કર્યું છે ત્યારે સોમવારે સવારે ક્ષત્રિય મહિલાઓ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સેક્ટર 17માં ઉપવાસ પર બેઠી હતી.

રાજપુતાણીઓનો એક દિવસનો ઉપવાસ : કચ્છ, કાઠીયાવાડ રાજપુત મહિલા મંડળના કાર્યકારી પ્રમુખ કંચનબા ગોહિલે જણાવ્યું કે અમે આજે એક દિવસ ઉપવાસ પર બેઠા છીએ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની અમારી માંગણી છે. રૂપાલાએ બહેનો દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે તે શોભનીય નથી. ટિપ્પણીથી અમે ખૂબ જ દુઃખી અને અપમાનિત થયા છીએ. અમારા અપમાનનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. આવતીકાલે હનુમાન જયંતિ હોવાથી આખો દિવસ ભજન અને ઉપવાસ કરીશું.અમે ભગવાનને એક જ પ્રાર્થના કરીશું કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને રૂપાલાની ટિકિટ રદ થાય.

રાજપૂતાણી કોન્ફરન્સ યોજાઈ : સુશીલાબા જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજ અને ગાંધીનગર રાજપુત મહિલા મંડળ દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2014 ના રોજ ગાંધીનગર ટાઉન હોલમાં ગુજરાતમાં પ્રથમવાર રાજપૂતાણી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પધાર્યા હતા. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ગમે ત્યારે બહેનો દીકરીઓને વિકાસ માટે જરૂર હોય તો હું કોરા ચેક પર સહી કરી આપીશ. પરંતુ અમારે કોરો ચેક નથી જોઈતો અમારું સન્માન પરત આપો. આમ રાજકોટ મહિલાઓએ એક સૂરે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી.

  1. કચ્છ સરહદે આવેલ છેવાડાના ગામ કુરન ખાતે રુપાલા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું, ભાજપના પ્રચાર દરમિયાન હોબાળો - Purushottam Rupala Controversy
  2. પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, રાજપુત સમાજનો હુંકાર - Gandhinagar Kshtriya Samaj

ઢોલ વગાડી ભજન કરી ઉપવાસ

ગાંધીનગર : રાજકોટથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ સતત માંગણી કરી રહ્યો છે. ભાજપે ક્ષત્રિય સમાજ માંગણી ન સ્વીકારતા ક્ષત્રિય સમાજે આજે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યો છે. સમાજે ગુજરાતભરમાં ભાજપનો વિરોધ કરવાનો એલાન કર્યું છે ત્યારે સોમવારે સવારે ક્ષત્રિય મહિલાઓ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સેક્ટર 17માં ઉપવાસ પર બેઠી હતી.

રાજપુતાણીઓનો એક દિવસનો ઉપવાસ : કચ્છ, કાઠીયાવાડ રાજપુત મહિલા મંડળના કાર્યકારી પ્રમુખ કંચનબા ગોહિલે જણાવ્યું કે અમે આજે એક દિવસ ઉપવાસ પર બેઠા છીએ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની અમારી માંગણી છે. રૂપાલાએ બહેનો દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે તે શોભનીય નથી. ટિપ્પણીથી અમે ખૂબ જ દુઃખી અને અપમાનિત થયા છીએ. અમારા અપમાનનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. આવતીકાલે હનુમાન જયંતિ હોવાથી આખો દિવસ ભજન અને ઉપવાસ કરીશું.અમે ભગવાનને એક જ પ્રાર્થના કરીશું કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને રૂપાલાની ટિકિટ રદ થાય.

રાજપૂતાણી કોન્ફરન્સ યોજાઈ : સુશીલાબા જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજ અને ગાંધીનગર રાજપુત મહિલા મંડળ દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2014 ના રોજ ગાંધીનગર ટાઉન હોલમાં ગુજરાતમાં પ્રથમવાર રાજપૂતાણી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પધાર્યા હતા. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ગમે ત્યારે બહેનો દીકરીઓને વિકાસ માટે જરૂર હોય તો હું કોરા ચેક પર સહી કરી આપીશ. પરંતુ અમારે કોરો ચેક નથી જોઈતો અમારું સન્માન પરત આપો. આમ રાજકોટ મહિલાઓએ એક સૂરે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી.

  1. કચ્છ સરહદે આવેલ છેવાડાના ગામ કુરન ખાતે રુપાલા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું, ભાજપના પ્રચાર દરમિયાન હોબાળો - Purushottam Rupala Controversy
  2. પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, રાજપુત સમાજનો હુંકાર - Gandhinagar Kshtriya Samaj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.