ETV Bharat / state

જામસાહેબ જાડેજા, નવાનગરના મહારાજાએ અજય જાડેજાને સોંપ્યું જામસાહેબનું સુકાન

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને જામનગર વતની અજય જાડેજાને નવાનગરના આગામી તત્કાલીન જામસાહેબ જાહેર કરવામાં આવ્યાં છે.

author img

By ANI

Published : Oct 12, 2024, 10:22 AM IST

Updated : Oct 13, 2024, 3:28 PM IST

જામનગરના રાજવી બન્યા પૂર્વ ક્રિકેટર અજય જાડેજા
જામનગરના રાજવી બન્યા પૂર્વ ક્રિકેટર અજય જાડેજા (Etv Bharat Gujarat)

જામનગર: ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને નવાનગરના આગામી જામસાહેબ જાહેર કરાયા છે. નવાનગરના તત્કાલિન મહારાજા જામસાહેબે ગઈકાલે રાત્રે એક નિવેદન બહાર પાડ્યું હતું અને આ અંગેની જાહેરાત કરી હતી.

જામનગરના રાજવી શત્રુશૈલીસિંહજીએ કહ્યું કે, મને ખુશી છે કે અજય જાડેજા નવાનગરના નવા જામ સાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના છે અને નવાનગર રજવાડાના છે

નવાનગરના મહારાજાએ અજય જાડેજાને સોંપ્યું જામસાહેબનું સુકાન (Etv Bharat Gujarat)

હાલના જામ સાહેબ શત્રુશૈલીસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી, જે તેમણે અજય જાડેજાના રૂપમાં કર્યું. જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે.

અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર કેએસ રણજીત સિંહજી 1907 થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્ય સિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા.

  1. લાઈવ આજે વિજયા દશમી, ગુજરાત સહિત દેશભરમાં સાંજે રાવણદહનના અનેક કાર્યક્રમો
  2. કેમ પુરૂષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અમદાવાદમાં અહીં ઘુમે છે ગરબે? જાણો સદુમાતાની પોળની આ પરંપરા

જામનગર: ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને નવાનગરના આગામી જામસાહેબ જાહેર કરાયા છે. નવાનગરના તત્કાલિન મહારાજા જામસાહેબે ગઈકાલે રાત્રે એક નિવેદન બહાર પાડ્યું હતું અને આ અંગેની જાહેરાત કરી હતી.

જામનગરના રાજવી શત્રુશૈલીસિંહજીએ કહ્યું કે, મને ખુશી છે કે અજય જાડેજા નવાનગરના નવા જામ સાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના છે અને નવાનગર રજવાડાના છે

નવાનગરના મહારાજાએ અજય જાડેજાને સોંપ્યું જામસાહેબનું સુકાન (Etv Bharat Gujarat)

હાલના જામ સાહેબ શત્રુશૈલીસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી, જે તેમણે અજય જાડેજાના રૂપમાં કર્યું. જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે.

અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર કેએસ રણજીત સિંહજી 1907 થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્ય સિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા.

  1. લાઈવ આજે વિજયા દશમી, ગુજરાત સહિત દેશભરમાં સાંજે રાવણદહનના અનેક કાર્યક્રમો
  2. કેમ પુરૂષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અમદાવાદમાં અહીં ઘુમે છે ગરબે? જાણો સદુમાતાની પોળની આ પરંપરા
Last Updated : Oct 13, 2024, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.