ETV Bharat / state

ભાવનગરમાં શરદપૂનમે ઊંધિયું ખાવાની પરંપરા, શાકભાજીના ભાવ વધતા ઊંધિયું પણ બન્યું મોંઘું

ભાવનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી શરદ પૂનમે ઊંધિયું ખાવાની પરંપરા ચાલી આવે છે, જેને પગલે આજે ભાવનગર શહેરમાં હજારો કિલો ઊંધિયું બનાવવામાં આવ્યું છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ઊંધિયું ખરીદતા ગ્રાહકો
ઊંધિયું ખરીદતા ગ્રાહકો (ETV Bharat Gujarat)

ભાવનગર: ભાવનગરવાસીઓને શરદપૂનમ સાંભળતા જ ઊંધિયું તરત માનસપટ પર આવી જાય છે. ભાવનગરમાં અલગ અલગ ઊંધિયું બનાવતા મીઠાઈ-ફરસાણ વાળાઓને ત્યાં ભારે ભીડ જોવા મળતી હોય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષોથી શરદપૂનમ નિમિતે ઊંધિયું ખાવાની પરંપરા છે. આ વર્ષે પણ શરદપૂનમે ભાવનગરમાં ઘણા સ્થળોએ ઊંધિયું વેચાય રહ્યું છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંધીયામાં મોંઘવારી જોવા મળી રહી છે.

ઊંધિયું ખરીદવા માટે લાઈન લાગી (ETV Bharat Gujarat)

ભાવનગરમાં ઊંધિયું ખાવાની પરંપરા
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી શરદ પૂનમ નિમિત્તે ઊંધિયું ખાવાની પરંપરા ચાલી આવે છે, જેને પગલે આજે ભાવનગર શહેરમાં હજારો કિલો ઊંધિયું બનાવવામાં આવ્યું છે. શહેરના દરેક રસ્તા ઉપર ઊંધિયું વેચનારાઓ નજરે પડી જાય છે અને ખરીદનારાઓની લાઇન પણ જોવા મળે છે. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંધિયું મોંઘુ હોવાનું સામે આવ્યું છે.

દરવર્ષે શરદપૂનમે ઊંધિયું ખાવાની પરંપરા
દરવર્ષે શરદપૂનમે ઊંધિયું ખાવાની પરંપરા (ETV Bharat Gujarat)

આ વર્ષે કેટલું મોંઘું થયું ઊંધિયું?
ભાવનગર શહેરમાં દવે મીઠાઈવાળાને ETV BHARATએ મુલાકાત કરતા ઊંધિયાના ભાવ કિલોના 280 જાણવા મળ્યા હતા. સાથે શરદપૂનમે દહીંવડા, ગુલાબજાંબુની પણ માંગ જોવા મળી હતી. જો કે દવે મીઠાઈવાળાના સંચાલક ગોપાલભાઈ જણાવ્યું હતું કે, ઊંધિયું ખાવાની ભાવનગરની વર્ષોની પરંપરા છે, તેમના દાદાના સમયથી આ પરંપરા ચાલી આવે છે. જો કે ગત વર્ષે 240 રૂપિયા કિલો હતું. પરંતુ આ વર્ષે શાકભાજીના ભાવ વધારે હોવાને કારણે ઊંધિયું 280 રૂપિયા કિલો વેચી રહ્યા છીએ.

આ પણ વાંચો:

  1. કચ્છના 400 વર્ષ જૂના 'વૂડન આર્ટ'નું અમેરિકા, લંડન અને સ્પેનને લાગ્યું ઘેલું, એક પરિવારે સાચવી રાખી છે કલા
  2. સ્મશાનમાં ઠંડી ચિતાપાટ પર કરી તાંત્રિક વિધિઃ પછી જુઓ Rajkot પોલીસે શું કર્યું- Video

ભાવનગર: ભાવનગરવાસીઓને શરદપૂનમ સાંભળતા જ ઊંધિયું તરત માનસપટ પર આવી જાય છે. ભાવનગરમાં અલગ અલગ ઊંધિયું બનાવતા મીઠાઈ-ફરસાણ વાળાઓને ત્યાં ભારે ભીડ જોવા મળતી હોય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષોથી શરદપૂનમ નિમિતે ઊંધિયું ખાવાની પરંપરા છે. આ વર્ષે પણ શરદપૂનમે ભાવનગરમાં ઘણા સ્થળોએ ઊંધિયું વેચાય રહ્યું છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંધીયામાં મોંઘવારી જોવા મળી રહી છે.

ઊંધિયું ખરીદવા માટે લાઈન લાગી (ETV Bharat Gujarat)

ભાવનગરમાં ઊંધિયું ખાવાની પરંપરા
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી શરદ પૂનમ નિમિત્તે ઊંધિયું ખાવાની પરંપરા ચાલી આવે છે, જેને પગલે આજે ભાવનગર શહેરમાં હજારો કિલો ઊંધિયું બનાવવામાં આવ્યું છે. શહેરના દરેક રસ્તા ઉપર ઊંધિયું વેચનારાઓ નજરે પડી જાય છે અને ખરીદનારાઓની લાઇન પણ જોવા મળે છે. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંધિયું મોંઘુ હોવાનું સામે આવ્યું છે.

દરવર્ષે શરદપૂનમે ઊંધિયું ખાવાની પરંપરા
દરવર્ષે શરદપૂનમે ઊંધિયું ખાવાની પરંપરા (ETV Bharat Gujarat)

આ વર્ષે કેટલું મોંઘું થયું ઊંધિયું?
ભાવનગર શહેરમાં દવે મીઠાઈવાળાને ETV BHARATએ મુલાકાત કરતા ઊંધિયાના ભાવ કિલોના 280 જાણવા મળ્યા હતા. સાથે શરદપૂનમે દહીંવડા, ગુલાબજાંબુની પણ માંગ જોવા મળી હતી. જો કે દવે મીઠાઈવાળાના સંચાલક ગોપાલભાઈ જણાવ્યું હતું કે, ઊંધિયું ખાવાની ભાવનગરની વર્ષોની પરંપરા છે, તેમના દાદાના સમયથી આ પરંપરા ચાલી આવે છે. જો કે ગત વર્ષે 240 રૂપિયા કિલો હતું. પરંતુ આ વર્ષે શાકભાજીના ભાવ વધારે હોવાને કારણે ઊંધિયું 280 રૂપિયા કિલો વેચી રહ્યા છીએ.

આ પણ વાંચો:

  1. કચ્છના 400 વર્ષ જૂના 'વૂડન આર્ટ'નું અમેરિકા, લંડન અને સ્પેનને લાગ્યું ઘેલું, એક પરિવારે સાચવી રાખી છે કલા
  2. સ્મશાનમાં ઠંડી ચિતાપાટ પર કરી તાંત્રિક વિધિઃ પછી જુઓ Rajkot પોલીસે શું કર્યું- Video
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.