નવી દિલ્હી: પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. 12 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ નંબર 12131415 અને 16 પર ભારે ભીડને કારણે આ ઘટના બની હતી. કેન્દ્રએ તપાસના આદેશ આપ્યા.
લોક નાયક હોસ્પિટલના પ્રશાસને 18 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારની રજા હોવાના કારણે શનિવારે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતા. શનિવારે જનરલ ટિકિટોનું પણ ઘણું વેચાણ થયું હતું.
PM Narendra Modi tweets, " distressed by the stampede at new delhi railway station. my thoughts are with all those who have lost their loved ones. i pray that the injured have a speedy recovery. the authorities are assisting all those who have been affected by this stampede" pic.twitter.com/d5A3nZkYqD
— ANI (@ANI) February 15, 2025
રેલ્વે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમારે રેલ્વે સ્ટેશન પર પહોંચીને ઘટનાનો તાગ મેળવ્યો અને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
NDLS stampede: Union Ministers Amit Shah, Rajnath Singh, Gadkari express grief over loss of lives
— ANI Digital (@ani_digital) February 15, 2025
Read @ANI Story | https://t.co/9kwBAmUU27#UnionMinisters #NDLStampede pic.twitter.com/L1PPAY6ZDa
આ ઘટના પ્લેટફોર્મ નંબર 14/15 પર રાત્રે 8.30 વાગ્યે બની હતી, જ્યારે મુસાફરો પ્રયાગરાજ તરફ જતી બે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ ટ્રેનો આવી ન હતી, જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી હોવાથી તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ધક્કા-મુક્કી શરૂ થઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. જેના કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા હતા અને ભીડમાં કચડાઈ ગયા હતા.
" deeply saddened by the unfortunate stampede that occurred at new delhi railway station. my prayers are with all those who have lost their loved ones. the entire team is working to assist all those who have been affected by this tragic incident," tweets ashwini vaishnaw, railway… pic.twitter.com/ZFTLWEPxxM
— ANI (@ANI) February 15, 2025
રેલવે મંત્રીએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું, "નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પરિસ્થિતિ કાબૂમાં છે. દિલ્હી પોલીસ અને આરપીએફ પહોંચી ગયા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અચાનક ભીડને હટાવવા માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
PTI અનુસાર, રેલ્વે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે અચાનક ધસારો થવાને કારણે મુસાફરોએ પ્લેટફોર્મ પર એકબીજાને ધક્કો માર્યો, જેના કારણે કેટલાકને નાની-મોટી ઈજાઓ થઈ. રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના કાર્યકારી નિર્દેશક દિલીપ કુમારે કોઈપણ ટ્રેન કેન્સલ થવાની વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે અચાનક ભીડને કાબૂમાં લેવા માટે તરત જ ચાર વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ભીડ ઘણી ઓછી થઈ ગઈ છે.
1. મૃતકોમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
2. મહાકુંભ માટે પ્રયાગરાજ જઈ રહેલા લોકોની ભારે ભીડ, પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર ઘટના બની.
3. લોકનાયકમાં 15 અને લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ત્રણના મોત થયા હતા.
4. જ્યારે એમ્બ્યુલન્સ ન મળી, ત્યારે કેટલાક લોકો તેમના પરિવારના સભ્યો સાથે ઓટોમાં હોસ્પિટલ પહોંચ્યા.
5. પ્રયાગરાજ તરફ જતી શિવગંગા એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો મોડી થવાને કારણે ભીડ વધી.
પૂર્વ સીએમ આતિશીની પ્રતિક્રિયા: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ X પર એક પોસ્ટ લખીને કહ્યું કે પ્રયાગરાજમાં મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે આવી ઘટના ખૂબ જ દુઃખદ છે. કેન્દ્ર સરકાર કે યુપી સરકારને લોકોની સુરક્ષાની ચિંતા નથી. દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ન તો પ્રયાગરાજમાં કોઈ વ્યવસ્થા છે કે ન તો કોઈ નક્કર પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. હું રેલવે વિભાગને વિનંતી કરું છું કે લોકોને વહેલી તકે મદદ મળે.
VIDEO | " 15 people were brought dead here (lnjp hospital) and their families have been informed, and around the same number of injured have been admitted here. this is a very tragic incident... all, expect two, have been identified. the injured are undergoing treatment. we pray… pic.twitter.com/5vriZJ25iI
— Press Trust of India (@PTI_News) February 15, 2025
આ પણ વાંચો: