ETV Bharat / bharat

પીએમ મોદી રશિયા જવા રવાના, રાષ્ટ્રપતિ પુતીન સાથે કરશે ઉચ્ચ સ્તરની વાટાઘાટો - PM MODI RUSSIA VISIT

પીએમ મોદીની આજથી રશિયાની મુલાકાત શરૂ થઈ રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર સ્તરની વાટાઘાટો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોસ્કોની મુલાકાત લેશે. આ બાબતએ ક્રેમલિને જણાવ્યું હતું કે પશ્ચિમી દેશો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતને 'ઈર્ષ્યા' સાથે જોઈ રહ્યા છે. જાણો સંપૂર્ણ બાબત. PM MODI RUSSIA VISIT

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 11:26 AM IST

પીએમ મોદી રશિયા જવા રવાના, રાષ્ટ્રપતિ પુતીન સાથે કરશે ઉચ્ચ સ્તરની વાટાઘાટો
પીએમ મોદી રશિયા જવા રવાના, રાષ્ટ્રપતિ પુતીન સાથે કરશે ઉચ્ચ સ્તરની વાટાઘાટો (Etv Bharat)

મોસ્કો: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે રશિયાની મુલાકાત માટે રવાના થાય છે. તેમની રશિયાની મુલાકાત આજથી શરૂ થવાની છે. ત્યારે તે ત્યાં પહોંચવાના પહેલા જ રશિયન સમાચારોમાં દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં વાત એમ છે કે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રવિવારે કહ્યું કે, પશ્ચિમી દેશો 8-9 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતને નજીકથી અને ઈર્ષ્યાપૂર્વક જોઈ રહ્યા છે. તેના અહેવાલમાં, રશિયા સ્થિત સમાચાર એજન્સી તાસે પેસ્કોવને ટાંકીને કહ્યું હતું કે તેઓ ઈર્ષ્યા કરે છે - જેનો અર્થ છે એ છે કે તેઓ તેના પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમની નજીકથી દેખરેખનો અર્થ એ છે કે તેઓ આ મુલાકાતને અને નરેન્દ્ર મોદીને ખૂબ મહત્વ આપે છે. તેઓ ખોટા નથી, પીએમ મોદીની રશિયાની મુલાકાત ખૂબ મહત્વની બાબત છે.

રાષ્ટ્રપતિ પુતિન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત: મોસ્કોની મુલાકાતે પીએમ મોદીના એજન્ડામાં રાષ્ટ્રપતિ પુતિન સાથે પરસ્પર મહત્વના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાનો સમાવેશ થાય છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ હાઇલાઇટ કર્યું હતું કે ભારત અને રશિયા બંને માટે તેના મહત્વ પર ભાર મૂકતા ભારત-પેસિફિક વિકાસ સંભવતઃ તેમની વાટાઘાટોમાં મુખ્ય રીતે દર્શાવવામાં આવશે. તેમના આવ્યા પછી પીએમ મોદી રશિયામાં ભારતીય સમુદાયને મળશે અને ક્રેમલિનની મુલાકાત લેશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરશે.

8 થી 9 જુલાઈ દરમિયાન મોસ્કોની મુલાકાત: વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું છે કે, આ બેઠકો બંને નેતાઓ વચ્ચે મર્યાદિત સ્તરની ચર્ચાઓ સાથે શરૂ થશે, ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. તમને જનવાઈ દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 9 જુલાઈ દરમિયાન મોસ્કોની તેમની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. આ સમય દરમિયાન, ભારત અને રશિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરવા માટે એક જીવંત સમુદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કથક નૃત્યની તાલીમ પામેલા રશિયન કલાકારો પરફોર્મ કરશે.

સાંસ્કૃતિક કેન્દ્રોમાં અભ્યાસ કર્યો છે: 9 જુલાઈના રોજ યોજાનાર આ કાર્યક્રમનું વિશેષ મહત્વ છે કારણ કે તે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાત સાથે સુસંગત છે. આ દરમિયાન, રશિયન કલાકારો કથકમાં તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરશે, જે એક શાસ્ત્રીય ભારતીય નૃત્ય સ્વરૂપ છે જેનો તેઓએ સાંસ્કૃતિક કેન્દ્રોમાં અભ્યાસ કર્યો છે.

રશિયન કલાકારોમાં કથકનું કૌશલ્ય: પોતાની ખુશી વ્યક્ત કરતાં નતાલિયા, જે એક રશિયન કલાકાર છે, તેણે કહ્યું કે, "હું છેલ્લા 7 વર્ષથી કથક નૃત્ય શીખી રહી છું, અને આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે મારી મનપસંદ કળાનું પ્રદર્શન કરવાનો મોકો મળતા હું રોમાંચિત છું. તેમની મોસ્કોની મુલાકાત આપણા બંને પ્રિય દેશો વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે."

ત્રણ વર્ષના અંતરાલ પછી થઈ રહી છે બેઠક: અગાઉ, એએનઆઈ સાથે વાત કરતા, રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતને 'ખૂબ જ મહત્વપૂર્ણ' ગણાવી હતી. આ મુદ્દે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક ત્રણ વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. વધુમાં વાત કરતાં વિનય કુમારે જણાવ્યું હતું કે, પીએમ મોદીની મુલાકાત બંને નેતાઓ માટે દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસ પર વિચાર વિનિમય કરવા અને પરસ્પર હિતના અન્ય પ્રાદેશિક અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 'ખૂબ જ મહત્વપૂર્ણ' છે.

છેલ્લી બેઠક 2021માં યોજાઈ હતી: તેમણે જણાવ્યું કે, બંને દેશોમાં રશિયન રાષ્ટ્રપતિ અને ભારતીય વડા પ્રધાન વચ્ચે ઉચ્ચ કક્ષાની બેઠકોના વાર્ષિક આદાનપ્રદાનની પરંપરા છે. બંને દેશો વચ્ચે છેલ્લી બેઠક 2021માં યોજાઈ હતી. નોંધનીય છે કે આ 22મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય સમિટ હશે. 21મી દ્વિપક્ષીય સમિટ ડિસેમ્બર 2021માં યોજાઈ હતી જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા.

બંને દેશો વચ્ચે સંબંધો વિસ્તર્યા છે: ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીની પ્રથમ વિદેશ યાત્રાના મહત્વ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે, આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણ વર્ષના અંતરાલ પછી આવું બની રહ્યું છે. છેલ્લી બેઠક 2021 માં થઈ હતી ત્યારથી દુનિયાભરમાં ઘણું બદલાઈ ગયું છે, પરંતુ તે સાથે સાથે અમારા સંબંધો પણ વિસ્તર્યા છે.

  1. રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે, મણિપુરમાં પીડિતો સાથે કરશે મુલાકાત - Rahul Gandhi visits Manipur
  2. TMC સાંસદ મહુઆ મોઇત્રા ફરી ચર્ચામાં, NCW ચીફ રેખા શર્મા પર કરેલ ટિપ્પણીઓ વિરુદ્ધ FIR દાખલ - derogatory post on NCW chief

મોસ્કો: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે રશિયાની મુલાકાત માટે રવાના થાય છે. તેમની રશિયાની મુલાકાત આજથી શરૂ થવાની છે. ત્યારે તે ત્યાં પહોંચવાના પહેલા જ રશિયન સમાચારોમાં દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં વાત એમ છે કે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રવિવારે કહ્યું કે, પશ્ચિમી દેશો 8-9 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતને નજીકથી અને ઈર્ષ્યાપૂર્વક જોઈ રહ્યા છે. તેના અહેવાલમાં, રશિયા સ્થિત સમાચાર એજન્સી તાસે પેસ્કોવને ટાંકીને કહ્યું હતું કે તેઓ ઈર્ષ્યા કરે છે - જેનો અર્થ છે એ છે કે તેઓ તેના પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમની નજીકથી દેખરેખનો અર્થ એ છે કે તેઓ આ મુલાકાતને અને નરેન્દ્ર મોદીને ખૂબ મહત્વ આપે છે. તેઓ ખોટા નથી, પીએમ મોદીની રશિયાની મુલાકાત ખૂબ મહત્વની બાબત છે.

રાષ્ટ્રપતિ પુતિન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત: મોસ્કોની મુલાકાતે પીએમ મોદીના એજન્ડામાં રાષ્ટ્રપતિ પુતિન સાથે પરસ્પર મહત્વના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાનો સમાવેશ થાય છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ હાઇલાઇટ કર્યું હતું કે ભારત અને રશિયા બંને માટે તેના મહત્વ પર ભાર મૂકતા ભારત-પેસિફિક વિકાસ સંભવતઃ તેમની વાટાઘાટોમાં મુખ્ય રીતે દર્શાવવામાં આવશે. તેમના આવ્યા પછી પીએમ મોદી રશિયામાં ભારતીય સમુદાયને મળશે અને ક્રેમલિનની મુલાકાત લેશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરશે.

8 થી 9 જુલાઈ દરમિયાન મોસ્કોની મુલાકાત: વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું છે કે, આ બેઠકો બંને નેતાઓ વચ્ચે મર્યાદિત સ્તરની ચર્ચાઓ સાથે શરૂ થશે, ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. તમને જનવાઈ દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 9 જુલાઈ દરમિયાન મોસ્કોની તેમની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. આ સમય દરમિયાન, ભારત અને રશિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરવા માટે એક જીવંત સમુદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કથક નૃત્યની તાલીમ પામેલા રશિયન કલાકારો પરફોર્મ કરશે.

સાંસ્કૃતિક કેન્દ્રોમાં અભ્યાસ કર્યો છે: 9 જુલાઈના રોજ યોજાનાર આ કાર્યક્રમનું વિશેષ મહત્વ છે કારણ કે તે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાત સાથે સુસંગત છે. આ દરમિયાન, રશિયન કલાકારો કથકમાં તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરશે, જે એક શાસ્ત્રીય ભારતીય નૃત્ય સ્વરૂપ છે જેનો તેઓએ સાંસ્કૃતિક કેન્દ્રોમાં અભ્યાસ કર્યો છે.

રશિયન કલાકારોમાં કથકનું કૌશલ્ય: પોતાની ખુશી વ્યક્ત કરતાં નતાલિયા, જે એક રશિયન કલાકાર છે, તેણે કહ્યું કે, "હું છેલ્લા 7 વર્ષથી કથક નૃત્ય શીખી રહી છું, અને આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે મારી મનપસંદ કળાનું પ્રદર્શન કરવાનો મોકો મળતા હું રોમાંચિત છું. તેમની મોસ્કોની મુલાકાત આપણા બંને પ્રિય દેશો વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે."

ત્રણ વર્ષના અંતરાલ પછી થઈ રહી છે બેઠક: અગાઉ, એએનઆઈ સાથે વાત કરતા, રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતને 'ખૂબ જ મહત્વપૂર્ણ' ગણાવી હતી. આ મુદ્દે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક ત્રણ વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. વધુમાં વાત કરતાં વિનય કુમારે જણાવ્યું હતું કે, પીએમ મોદીની મુલાકાત બંને નેતાઓ માટે દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસ પર વિચાર વિનિમય કરવા અને પરસ્પર હિતના અન્ય પ્રાદેશિક અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 'ખૂબ જ મહત્વપૂર્ણ' છે.

છેલ્લી બેઠક 2021માં યોજાઈ હતી: તેમણે જણાવ્યું કે, બંને દેશોમાં રશિયન રાષ્ટ્રપતિ અને ભારતીય વડા પ્રધાન વચ્ચે ઉચ્ચ કક્ષાની બેઠકોના વાર્ષિક આદાનપ્રદાનની પરંપરા છે. બંને દેશો વચ્ચે છેલ્લી બેઠક 2021માં યોજાઈ હતી. નોંધનીય છે કે આ 22મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય સમિટ હશે. 21મી દ્વિપક્ષીય સમિટ ડિસેમ્બર 2021માં યોજાઈ હતી જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા.

બંને દેશો વચ્ચે સંબંધો વિસ્તર્યા છે: ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીની પ્રથમ વિદેશ યાત્રાના મહત્વ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે, આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણ વર્ષના અંતરાલ પછી આવું બની રહ્યું છે. છેલ્લી બેઠક 2021 માં થઈ હતી ત્યારથી દુનિયાભરમાં ઘણું બદલાઈ ગયું છે, પરંતુ તે સાથે સાથે અમારા સંબંધો પણ વિસ્તર્યા છે.

  1. રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે, મણિપુરમાં પીડિતો સાથે કરશે મુલાકાત - Rahul Gandhi visits Manipur
  2. TMC સાંસદ મહુઆ મોઇત્રા ફરી ચર્ચામાં, NCW ચીફ રેખા શર્મા પર કરેલ ટિપ્પણીઓ વિરુદ્ધ FIR દાખલ - derogatory post on NCW chief
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.