ETV Bharat / bharat

પ્રયાગરાજના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : ધર્મપત્ની સાથે કર્યા બડે હનુમાનજીના દર્શન - CM PATEL PRAYAGRAJ VISIT

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજના પ્રવાસે છે. સવારે પ્રયાગરાજ પહોંચી સીએમ પટેલે બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2025, 11:14 AM IST

Updated : Feb 7, 2025, 2:17 PM IST

ઉત્તર પ્રદેશ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજના પ્રવાસે છે. ગુજરાત સરકારે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ સીએમ પટેલ 7 ફેબ્રુઆરી, શુક્રવારની સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. બાદમાં બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. બાદમાં પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

પ્રયાગરાજ પહોંચ્યા સીએમ પટેલ : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના પ્રવાસે છે. સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચ્યા હતા. જે બાદ સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના બડે હનુમાનજી મંદિર પહોંચ્યા હતા. અહીં સીએમ પટેલે હનુમાનજીના દર્શન કરી પૂજા કરી હતી. આ પ્રવાસમાં સીએમ પટેલ સાથે તેમના ધર્મપત્ની હેતલબેન પણ છે.

CM પટેલનો પ્રયાગરાજ પ્રવાસ : ગુજરાત સરકારના એક નિવેદન મુજબ, આજે બપોરે 12.30 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. ઉપરાંત તેમની મુલાકાત દરમિયાન સીએમ પટેલ સાંજે ગાંધીનગર પાછા ફરતા પહેલા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લેશે.

પાકિસ્તાની યાત્રાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી...

આ સાથે પાકિસ્તાની યાત્રાળુઓનું એક જૂથ મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યું છે. ANI સાથે વાત કરતા યાત્રાળુઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે તેમના વિઝા ઝડપથી જારી કર્યા, જેના કારણે તેઓ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા. તેમણે વિવિધ શિબિરોની મુલાકાત લેવા અને મેળામાં હાજર રહેલા આધ્યાત્મિક નેતાઓને મળવાનો આનંદ શેર કરતી વખતે કાર્યક્રમના આયોજનની પણ પ્રશંસા કરી.

  1. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વરના ધામમાં પહોંચ્યા
  2. પીએમ મોદીની સંગમમાં શ્રદ્ધાની ડૂબકી; અમૃતસ્નાન છોડી આજે જ મહાકુંભમાં કેમ આવ્યા?

ઉત્તર પ્રદેશ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજના પ્રવાસે છે. ગુજરાત સરકારે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ સીએમ પટેલ 7 ફેબ્રુઆરી, શુક્રવારની સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. બાદમાં બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. બાદમાં પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

પ્રયાગરાજ પહોંચ્યા સીએમ પટેલ : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના પ્રવાસે છે. સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચ્યા હતા. જે બાદ સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના બડે હનુમાનજી મંદિર પહોંચ્યા હતા. અહીં સીએમ પટેલે હનુમાનજીના દર્શન કરી પૂજા કરી હતી. આ પ્રવાસમાં સીએમ પટેલ સાથે તેમના ધર્મપત્ની હેતલબેન પણ છે.

CM પટેલનો પ્રયાગરાજ પ્રવાસ : ગુજરાત સરકારના એક નિવેદન મુજબ, આજે બપોરે 12.30 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. ઉપરાંત તેમની મુલાકાત દરમિયાન સીએમ પટેલ સાંજે ગાંધીનગર પાછા ફરતા પહેલા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લેશે.

પાકિસ્તાની યાત્રાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી...

આ સાથે પાકિસ્તાની યાત્રાળુઓનું એક જૂથ મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યું છે. ANI સાથે વાત કરતા યાત્રાળુઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે તેમના વિઝા ઝડપથી જારી કર્યા, જેના કારણે તેઓ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા. તેમણે વિવિધ શિબિરોની મુલાકાત લેવા અને મેળામાં હાજર રહેલા આધ્યાત્મિક નેતાઓને મળવાનો આનંદ શેર કરતી વખતે કાર્યક્રમના આયોજનની પણ પ્રશંસા કરી.

  1. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વરના ધામમાં પહોંચ્યા
  2. પીએમ મોદીની સંગમમાં શ્રદ્ધાની ડૂબકી; અમૃતસ્નાન છોડી આજે જ મહાકુંભમાં કેમ આવ્યા?
Last Updated : Feb 7, 2025, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.