ગુજરાત

gujarat

ETV Bharat / videos

પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું, હું પૂરી ગંભીરતા સાથે કહું છું કે કોંગ્રેસ બંધારણની સૌથી મોટી વિરોધી છે - RAJYA SABHA PROCEEDINGS LIVE

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 11:24 AM IST

Updated : Jul 3, 2024, 2:40 PM IST

નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ગૃહને સંબોધિત કરી શકે છે. આ પહેલા પીએમ મોદીએ મંગળવારે લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાએ અમને દરેક માપદંડ પર પરીક્ષણ કર્યા બાદ આ જનાદેશ આપ્યો છે. લોકોએ અમારો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે. વડાપ્રધાને વિદ્યાર્થીઓને ખાતરી પણ આપી હતી કે તેમની સરકાર પેપર લીકની ઘટનાઓને 'યુદ્ધના ધોરણે' રોકવા માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર કર્યા પછી, નીચલા ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. હાથરસ ઘટના પર રાજ્યસભામાં ચર્ચા થઈ શકે છે.
Last Updated : Jul 3, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details