ગુજરાત

gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' LIVE - pm modi mann ki baat

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 11:00 AM IST

Updated : Jul 28, 2024, 11:33 AM IST

મન કી બાત (Etv Bharat)
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 112મી વખત રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો દેશની જનતા સમક્ષ રજૂ કરી રહ્યાં છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થયા બાદ આ તેમનો પહેલો કાર્યક્રમ છે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગ્યાથી આકાશવાણી અને દુરદર્શનની તમામ ચેનલો પર કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી મહિના અંતે ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરે છે. પીએમ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ બીજો એપિસોડ છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે તેમને જુલાઈના એપિસોડ માટે ઘણા સંકેત મળ્યા હતા. તેમણે સમાજને બદલવા માટે સામૂહિક મુદ્દાઓને ઉજાગર કરવા માટે ઘણા યુવાનો એકઠા થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
Last Updated : Jul 28, 2024, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details