જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ઉપલેટાના માલદે આહીરની વાણીએ સાંભળો કૃષ્ણ લીલા - Krishna Janmashtami 2024
Published : Aug 25, 2024, 9:03 PM IST
માલદે આહીરની વાણીએ સાંભળો કૃષ્ણ લીલા (Etv Bharat Gujarat)
જન્માષ્ટમીનો તહેવાર આવી ગયો છે. ભાવિકો સહિત સૌ કોઈ કૃષ્ણ જન્મના વધામણા કરવા આતુર બન્યા છે. વિશાળ સંખ્યામાં ભાવિકોનું મહેરામણ રંગેચંગે કૃષ્ણ જન્મને વધાવવા માટે કૃષ્ણ મંદિરમાં ઉમટશે. ભગવાનને શણગાર ભોગ, બાલભોગ તેમજ છપ્પનભોગ જેવા ભોગ ધરાવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે ઉપલેટાના લોક ગાયક માલદે આહીર દ્વારા કૃષ્ણ લીલાની ઝાંખીઓ કરાવવામાં આવી છે ત્યારે સાંભળો કૃષ્ણ લીલા ની વાતો.