ગુજરાત

gujarat

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટયુ ભક્તોનું ઘોડાપૂર - Sawan somvar 2024

By ETV Bharat Gujarati Team

Published : Aug 5, 2024, 9:52 AM IST

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, પ્રથમ દિવસે આવતા સોમવારને કારણે પણ વિશેષ પ્રમાણમાં સોમનાથ મહાદેવના દર્શન માટે શિવભક્તો આવી પહોંચ્યા હતા. Somnath mahadev mandir

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટયુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટયુ ભક્તોનું ઘોડાપૂર (તસ્વીર સૌજન્ય: સોમનાથ મંદિર ટ્રસ્ટ)

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટયુ ભક્તોનું ઘોડાપૂર (વીડિયો સૌજન્ય: સોમનાથ મંદિર ટ્રસ્ટ)

ગીર સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, 73 વર્ષ પછી પ્રથમ વખત શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. પ્રથમ અને અંતિમ દિવસ પણ સોમવારના રૂપમાં શ્રાવણ માસમાં આવી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તોનું ઘોડાપૂર સોમનાથ મંદિર પરિસરમાં ઉમરી પડ્યુ હતુ.

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું (તસ્વીર સૌજન્ય: સોમનાથ મંદિર ટ્રસ્ટ)

ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સવારના ચાર કલાકથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે કતાર બંધ ઊભેલા જોવા મળતા હતા. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ (તસ્વીર સૌજન્ય: સોમનાથ મંદિર ટ્રસ્ટ)
આજે પ્રથમ પાલકી યાત્રા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે દેવાધિ દેવ મહાદેવની પાલખી યાત્રાનું પણ આયોજન થાય છે આ પ્રકારે ધાર્મિક યાત્રા એકમાત્ર સોમનાથ મંદિરમાં કાઢવામાં આવે છે જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાઈને મહાદેવના દર્શનની અનુભૂતિ કરે છે.
પવિત્ર શ્રાવણના મહિનાનો પ્રારંભ, સોમનાથ દાદાની વિશેષ પૂજા કરાઈ (તસ્વીર સૌજન્ય: સોમનાથ મંદિર ટ્રસ્ટ)

આજે શ્રાવણમાસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને બિલ્વ પત્રના ઔલોકિક શણગારથી પણ દિવ્યમાન બનાવવામાં આવ્યા છે, આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના બિલ્વ પત્ર શૃંગારના દર્શન કરવાની સાથે પાલખી યાત્રામાં જોડાઈને શ્રાવણ મહિનાની શુભ શરૂઆત પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે આજે શ્રાવણના પહેલા દિવસે સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્ર ભગવાન સોમનાથ મય બનતું પણ જોવા મળ્યુ હતું.

  1. ટપકેશ્વર મહાદેવને થાય છે કુદરતી જળાભિષેક, શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરો આ મહાદેવના દર્શન - First Monday of Shravana month
  2. 1200 વર્ષથી બિરાજમાન છે અહીં મૂળેશ્વર મહાદેવ, સરહદના કરે છે "રખોપા" - 1200 year old temple in banaskantha

ABOUT THE AUTHOR

...view details