ગુજરાત

gujarat

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ: રોડ પર મસ મોટા ખાડા, કપાસની ખેતીને નુકસાન - Rain in Chhotaudepur

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2024, 8:52 PM IST

છોટાઉદેપુર જિલ્લામાં વરસેલા વરસાદથી નેશનલ હાઈ વે નંબર 56 પરનો ભારજ નદી પરનો પુલ તૂટી જતાં છોટાઉદેપુર જિલ્લા સહીત મધ્યપ્રદેશના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદમાં ઠેરઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ખેતીને પણ નુકસાન થયું છે. - Rains in Chhotaudepur

છોટાઉદેપુરમાં વરસાદનો કહેર
છોટાઉદેપુરમાં વરસાદનો કહેર (Etv Bharat Gujarat)

છોટાઉદેપુરમાં વરસાદનો કહેર (Etv Bharat Gujarat)

છોટાઉદેપુર: જિલ્લામાં તારીખ 25, 26 અને 27 આમ સળંગ ત્રણ દિવસ વરસેલા મુસળધાર વરસાદને લઇને જિલ્લાની નાની મોટી તમામ નદીઓ ગાંડીતુર બની હતી. વરસેલા વરસાદથી જિલ્લાના માર્ગો ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે તો ખાસ કરીને ખેતીમાં કપાસ, ફૂલના પાક અને શાકભાજીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.

પૂરમાં પુલ થયો ધરાશાયીઃજન્માષ્ટમીના દિવસે વરસેલા મુસળધાર વરસાદને લઈને ભારજ નદી પરના સુખી ડેમના 6 દરવાજામાંથી 15 હજાર ક્યૂસેક જેટલું પાણી ભારજ નદીમાં છોડવામાં આવતા છ મહિના પહેલા જ 2 કરોડ 28 લાખના ખર્ચે બનવવામાં આવેલો ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ ગયો હતો, ત્યારે બે વર્ષથી ક્ષત્તિ ગ્રસ્ત થયેલા ભારજ નદીના પુલ ઉપરથી લાઈટ વેઇટ વાહનો પસાર થતા હતા. પરંતુ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને વરસેલા વરસાદથી આવેલા પૂરના ભારે પ્રવાહને કારણે પુલનો વચ્ચેનો ભાગ પાણીના પ્રવાહ માં તણાઈ જતાં, સિહોદથી છોટાઉદેપુર મધ્યપ્રદેશનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી જેતપુર પાણીથી રંગલી ચોકડીથી મોડાસર ચોકડી બાજુનું ડાયવર્ઝન અપાતા જનતાનેં 40 કિલોમીટરના ફેરો ફરીને છોટાઉદેપુર જવાનો વારો આવ્યો છે.

જિલ્લા પ્રભારી મંત્રીએ કહ્યું ખાસ નુકસાન થયું નથીઃ વરસાદથી પ્રભાવિત જિલ્લાની જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર મુલાકાત લીધી હતી અને પ્રેસ વાર્તા દરમિયાન જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં વરસાદથી ખાસ કોઈ નુકસાન થયું નથી, અને ભારજ નદીનો પુલ જેતે વખતે પુલ બન્યો તે વેળાએ પુલના પાયા મજબૂત નહીં બનાવવાના કારણે પુલ તૂટી ગયો તેમ જણાવતા છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને આજે કોંગ્રસના નેતાઓ પણ તૂટેલા પુલની મુલાકાત લીધી હતી.

છ મહિના પહેલાનું કરોડોનું ડાયવર્ઝન ધોવાયુંઃ પુલની મુલાકાતે આવેલા પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા જણાવ્યું હતું કે, વર્ષ 1960 માં બનેલો પુલ 70 વર્ષ સુધી ટક્યો છે પરંતુ સરકારે છ મહિના પહેલા જ 2 કરોડને 28 લાખના ખર્ચે બનેલું ડાયવર્ઝન ધોવાય ગયું એના વિશે મંત્રી કશું બોલ્યા નથી. અમારી સરકારમાં બનાવેલો પુલ 70 વર્ષ સુધી ચાલ્યો, પણ તેમની સરકારે બનાવેલું ડાયવર્ઝન છ મહિનામાં જ ધોવાય જતાં, જિલ્લાની જનતાને ભારે હલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ અંગે સાસંદ જશુભાઈ રાઠવા જણાવ્યું હતું કે, તાત્કાલિક ડાયવર્ઝન બનાવવા સરકાર દ્વારા પ્રાયાશો હાથ ધરવાની રજૂઆત કરીશ, અને નવો પુલ બનાવવા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને દિલ્હી ખાતે રજૂઆત કરી નવો પુલ જલ્દી બને તે માટે રજૂઆત કરવાનું જણાવ્યું હતું.

આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ટેલીફોનિક વાત કરતાં જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં વધુ વરસાદના કારણે પુલ તૂટી જતાં લોકોને 35 થી 40 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે. જેની સરકારે નોંધ લીધી છે અને નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતાં જ ડાયવર્ઝન બનાવવાનું કામ શરુ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

  1. દેશના 5 રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો ગાંધીનગરથી આરંભ - Poshan tracker app
  2. નિવૃત્તિના દિવસે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જન સંપર્ક અધિકારી જીતેન્દ્ર કુમાર જયંત સાથે ખાસ સંવાદ - Western Railway

ABOUT THE AUTHOR

...view details