ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં આતંક મચાવનારોનું પોલીસે કાઢ્યું સરઘસ, શાન ઠેકાણે લાવી

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેને લઇને પોલીસ હરકતમાં આવી હતી અને આ અસામાજિક તત્વોનું પોલીસે ઝૂલુસ કાઢ્યું હતું.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

વાડજમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોનું પોલીસે નીકાળ્યું ઝૂલુસ
વાડજમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોનું પોલીસે નીકાળ્યું ઝૂલુસ (Etv Bharat Gujarat)

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં ગતરોજ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ અસામાજિક તત્વો દ્વારા ગાડીઓમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાના પગલે વાડજ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરીને આરોપીઓ પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી હતી.

વાડજમાં આરોપીઓએ આતંક મચાવ્યો: વાડજ વિસ્તારમાં આરોપીઓએ આતંક મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. તે જ વિસ્તારમાં વાડજ પોલીસ દ્વારા બંને આરોપીઓનું ઝૂલુસ નીકળવામાં આવ્યું હતું. પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ દ્વારા આરોપીઓને પોલીસવાનમાંથી નીચે ઉતાર્યા વગર જ ઝૂલુસ નીકળવામાં આવ્યું હતું.

વાડજમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોનું પોલીસે નીકાળ્યું ઝૂલુસ (Etv Bharat Gujarat)

આરોપીઓનું ઝૂલુસ કાઢવામાં આવ્યું: ટોળામાંના 15થી 20 લોકોનું ટોળું આરોપી હતું. જેમાંથી રણજીત કાળુભાઈ અને નીરવ ભરવાડ નામના 2 આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરીને ઘટના સ્થળેથી તેમનું ઝૂલુસ નીકળવામાં આવ્યું હતું. પોલીસની કામગીરીથી ખુશ થઈને સ્થાનિક લોકો આ ઝૂલુસ જોવા માટે જોડાયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારાઓ લગાવ્યા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે, આ ઘટનાની વધુ વિગતો અને અન્ય આરોપીઓની શોધખોળ માટે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તપાસનો દોર શરૂ રખાયો છે.

આ પણ વાંચો:

  1. અસામાજિક તત્વોએ ફરી અમદાવાદને માથે લીધું, 2 આરોપીઓની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details