અમદાવાદ: ગુજકેટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે મુજબ ગુજકેટ 2025ની પરીક્ષા આ વખતે 23 માર્ચના રોજ યોજાશે.
શું હશે પરીક્ષાનો સમય?
ખાસ છે કે, વર્ષ 2017થી એન્જિનિયરિંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ એ.બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચના દિવસે યોજવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે.
ગુજકેટની પરીક્ષાનું માળખું