ગુજરાત

gujarat

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક દર્દીનું મોત, ચાંદીપુરાથી મૃત્યુનો આંક 66 થયો - Chandipura virus update

By ETV Bharat Gujarati Team

Published : Aug 4, 2024, 7:09 AM IST

રાજ્યમાં વાયરસ એનકેફોલ્ટિસના કુલ 153 કેસો મળી આવ્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસના 57 પોઝિટિવ કેસ મળેલા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુર વાયરસથી કુલ મૃત્યુ આંક 66 થયો છે. જ્યારે 68 દર્દીઓને તબિયતમાં સુધારો થતા તેમને રજા અપાઈ છે. Chandipura virus update

રાજ્યમાં ચાંદીપુરાથી મૃત્યુનો આંક 66 થયો
રાજ્યમાં ચાંદીપુરાથી મૃત્યુનો આંક 66 થયો (Getty image)

ગાંધીનગર: શંકાસ્પદ ચાંદીપુર વાયરસથી રાજ્યમાં કુલ મૃત્યુ આંક 66 પર પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 5 કેસ, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગરમાં ૨, ખેડામાં ૨, મહેસાણામાં ૪, રાજકોટમાં ૪, સુરેન્દ્રનગરમાં ૨, અમદાવાદ કોર્પોરેશનમાં ૬, ગાંધીનગરમાં ૩ જ્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં ૨, પંચમહાલમાં ૭, જામનગરમાં 3, મોરબીમાં ૪, દાહોદમાં ૩, વડોદરામાં ૨, નર્મદામાં ૧, બનાસકાંઠામાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૧, દેવભૂમિ દ્વારકામાં ૧, કચ્છમાં ૩, સુરત કોર્પોરેશનમાં ૧, ભરૂચમાં ૧, જામનગર કોર્પોરેશનમાં ૧, ગીર સોમનાથમાં ૧ તેમજ પાટણમાં ૧ દર્દીનું શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે મોત થયું છે.

ગુજરાત રાજયમાં એન્કેફેલાઈટીસના કુલ 153 દર્દી છે. આ કેસ પૈકી સાબરકાંઠા જિલ્લામાં ૧૬, અરવલ્લીમાં ૭, મહીસાગરમાં ૩, ખેડામાં ૭, મહેસાણામાં ૯, રાજકોટમાં ૭, સુરેન્દ્રનગરમાં ૫, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨, ગાંધીનગરમાં ૮, પંચમહાલમાં ૧૬, જામનગરમાં ૭, જ્યારે જામનગર કોર્પોરેશનમાં ૧, મોરબીમાં ૬, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં ૨, દાહોદમાં ૪, વડોદરામાં ૭, નર્મદામાં ૨, બનાસકાંઠામાં ૬, વડોદરા કોર્પોરેશનમા ૨, ભાવનગરમાં ૧, દેવભૂમિ દ્વારકામાં ૨, રાજકોટ કોર્પોરેશનમાં ૪, કચ્છમાં ૫, સુરત કોર્પોરેશન ૨, ભરૂચમાં ૪, અમદાવાદમાં ૨, પોરબંદરમાં ૧, પાટણમાં ૧ તેમજ ગીર સોમનાથમાં ૧ શંકાસ્પદ કેસો મળી આવેલા છે.

તેવી જ રીતે રાજ્યમાં હાલમાં ચાંદીપુરા વાઇરસના 57 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. સાબરકાંઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૨, ખેડા-૦૪, મહેસાણા-૦૫, રાજકોટ-O3, સુરેન્દ્રનગર-૦૩, અમદાવાદ કોર્પોરેશન-૦૩, ગાંધીનગર-૦૨, પંચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ- ૦૩, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોર્પોરેશન-૦૧, કચ્છ-૦૪, સુરત કોર્પોરેશન-૦૨, ભરૂચ-૦૧, અમદાવાદ-૦૧, પોરબંદર-૦૧ તેમજ પાટણ-૦૧ જીલ્લા અને કોર્પોરેશનમાંથી ચાંદીપુરા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૭,૫૩૧ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલી છે. વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યું છે. કુલ ૭,૩૩,૫૪૨ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૧,૪૯,૨૦૩ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

  1. રાજ્યમાં ચાદીપુરા વાયરસથી ભરડો!, અત્યાર સુધી કુલ 148 કેસો નોંધાયા, 61 બાળકોના મોત - Chandipura virus

ABOUT THE AUTHOR

...view details