રોશન આરા.અમદાવાદઃઅમદાવાદ તેના ઐતિહાસિક મોન્યુમેન્ટ્સ અને જુના માર્કેટ માટે ખૂબ જ ફેમસ છે. તેમાંથી એક અમદાવાદનું માધૂપુરા મસાલા માર્કેટ છે. જે ગુજરાતમાં મસાલા અને ડ્રાયફૂટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલું આ બજારમાં અન્ય બજાર કરતા સસ્તા ભાવે જુદી જુદી વેરાઈટીના માસાલા અને સુકા મેવા મળી જાય છે.
માધુપુરા માર્કેટ અંગે જાણવા જેવુંઃ અમદાવાદના જુના બજાર વર્લ્ડ ફેમસ બજાર છે. આમ તો અમદાવાદમાં ઘણા બજારો આવેલા છે, જ્યાં ઘરવખરીથી માંડીને જવેલરી સુધીની તમામ વસ્તુઓ મળી જાય છે, પરંતુ અમદાવાદના માધૂપુરા મસાલા માર્કેટ ખાસ સૂકા મેવા જાણીતું માર્કેટ છે. અમદાવાદની માધુપુરા મસાલા માર્કેટ વરસે 1843 થી ભરાય છે આઝાદી પહેલા મસાલાના ખરીદ વેચાણ માટે શરાફ પણ રાખવામાં આવતા હતા. આજે પણ આ મસાલા માર્કેટમાં કેટલીક દુકાને એવી છે જેનો કારોબાર તેમની ચોથી પેઢી સાંભળી રહી છે. આ બજારમાં 700 થી વધારે નાની મોટી દુકાનો આવેલી છે. જેમાં 5000 થી વધુ માણસો કામ કરે છે.
શું કહે છે દુકાનદારોઃ આ સંદર્ભમાં એક દુકાનદાર અંકિતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, માધુપુરા મસાલા માર્કેટ સૌથી જુનું અને જાણીતું માર્કેટ છે અને અહીંયા દરેક પ્રકારના ડ્રાયફ્રુટ અને મસાલાનો વેપાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને કાળા મરી, લવિંગ, ઈલાયચી, કસ્તુરી મેથી, તજ, ખસખસ, ધાણા, જીરું, મોટી ઈલાયચી, મરચું, હળદર સહિતના અને અલગ અલગ મસાલાઓની વેરાઈટી છે. આની સાથે ડ્રાયફ્રુટ કરિયાણાની વસ્તુઓ ખાણ, ઘી, ગોળ વગેરે હોય છે. જેનો ભાવ બજારમાં અન્ય દુકાનો કરતા ઓછા હોય છે. અહીંથી ઘણા લોકો એક વર્ષના મસાલા અને કરિયાણું ભરીને જાય છે. આખા ગુજરાત અને બહારથી પણ લોકો અહીંયાથી મસાલા ખરીદવા માટે આવે છે. અહીંયા મળતી દરેક મસાલા અને કરિયાણીની વસ્તુના ભાવ તેના જથ્થા અને વેરાયટી મુજબ અલગ અલગ હોય છે.