ગુજરાત

gujarat

ETV Bharat / sports

'જય જગન્નાથ'... ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શનાર્થે, જુઓ વિડીયો - IND VS ENG 2ND ODI

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલાં પુરીના જગન્નાથ મંદિર પહોંચ્યા. જુઓ વિડીયો...

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શનાર્થે
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શનાર્થે (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Feb 8, 2025, 4:06 PM IST

પુરી (ઓડિશા): શનિવારે વહેલી સવારે શ્રી જગન્નાથ મંદિરમાં અચાનક લોકોની ભીડ જોવા મળી, જોકે તેની પાછળ કોઈ ઉત્સવ કે ધાર્મિક કાર્યક્રમ નહોતો. રવિવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની બહુપ્રતિક્ષિત વનડે મેચ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી ત્રિમૂર્તિને દર્શન કરવા માટે મંદિરની મુલાકાતે આવ્યા હતા, માટે મંદિરમાં આટલી ભીડ ઉમટી હતી.

ક્રિકેટરોનું જગન્નાથ મંદિરમાં ભવ્ય સ્વાગત:

શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને સિંહદ્વાર (સિંહનો દરવાજો) ખાતે ક્રિકેટરોનું આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે પહેલા પ્રવેશદ્વારથી ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને પછી બૈસી પહાચા (22 પગથિયાં) ચઢીને ગર્ભગૃહ પહોંચ્યા. તેમણે શ્રીમંદિર સંકુલમાં સ્થિત અન્ય મંદિરોની પણ મુલાકાત લીધી. સદ્ભાવનાના સંકેત તરીકે, મંદિર વહીવટીતંત્રે તેમને મહાપ્રભુનો બાણ (પવિત્ર ધ્વજ) ભેટમાં આપ્યો, જે દૈવી રક્ષણ અને સફળતાનું પ્રતીક છે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શનાર્થે (Etv Bharat)

ખેલાડીઓને નિહાળવા મંદિરની બહાર ભીડ ઉમટી:

પુરી સ્થિત જગન્નાથ મંદિરની બહાર પોતાના મનપસંદ ખેલાડીઓની એક ઝલક જોવા માટે ભીડ ઉમટવા લાગી ત્યારે શાંતિપૂર્ણ રીતે પસાર થવા માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી હતી. ભારતીય ટીમ શુક્રવારે મોડી રાત્રે ભુવનેશ્વર પહોંચી હતી અને શનિવારે નેટ પ્રેક્ટિસ માટે બારાબતી સ્ટેડિયમ જશે.

ટિકિટ બુકિંગ સમયે ભાગદોડની સ્થિતિ:

ભુવનેશ્વર અને કટક વચ્ચે ખેલાડીઓની અવરજવરને ધ્યાનમાં રાખીને, સમગ્ર રૂટ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. બુધવારે શરૂઆતમાં, ટિકિટ વેચાણ દરમિયાન ધક્કા - મુક્કી થઈ હતી જેના કારણે કટકમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 10 લોકો બેભાન થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

કટકના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) જગમોહન મીણાએ ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાપન અને ખેલાડીઓ માટે સલામત પરિવહન વ્યવસ્થા અંગે ચર્ચા કરતાં કહ્યું કે "પ્રવેશ અને બહાર નીકળવાનું નિયંત્રણ 4 નિયુક્ત દરવાજા દ્વારા કરવામાં આવશે, જ્યાં સુરક્ષા અને સ્વચ્છતાનું સંચાલન કરવા માટે કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, જેથી ખેલાડીને કોઈપણ મુશ્કેલી સર્જાય નહીં."

આ પણ વાંચો:

  1. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થયાની પહેલા જ સતત ત્રીજી વાર પાકિસ્તાનને મળ્યું સસ્પેન્શન, હવે શું થશે આગળ…
  2. 'વેલકમ ટુ ધ સિલ્વર સિટી'... ભારતીય ક્રિકેટ ટીમ બીજી વનડે માટે કટક પહોંચી, સંભલપુર નૃત્ય સાથે ભવ્ય સ્વાગત

ABOUT THE AUTHOR

...view details