નવી દિલ્હી:IPL 2024ની 42મી મેચ પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મેચ હશે. જો કે, અન્ય તમામ ટીમોએ અત્યાર સુધી એક-એક મેચ રમી છે પરંતુ પંજાબ અને કેકેઆર વચ્ચે હજુ સુધી મેચ રમાઈ નથી. આજે જ્યારે બંને ટીમો રમવા ઉતરશે ત્યારે તેમનો ઈરાદો જીતવાનો રહેશે. મેચ સાંજે 7:30 કલાકે શરુ થશે
સીઝનમાં બંને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન: જો આઈપીએલમાં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો KKRનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કોલકાતાએ અત્યાર સુધી 7 મેચ રમી છે જેમાં તેણે 5 મેચ જીતી છે. તે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે પંજાબ કિંગ્સે અત્યાર સુધી 8 મેચ રમી છે જેમાં તેણે 6 મેચ હારી છે અને 2 મેચ જીતી છે અને તે તળિયેથી બીજા સ્થાને છે.
KKR vs PBKS હેડ ટુ હેડ:કોલકાતા વિ પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોમાં, KKRનો હાથ ઉપર હતો. બંને વચ્ચે અત્યાર સુધી 32 મેચ રમાઈ છે જેમાં KKR 21 અને પંજાબે 11 મેચ જીતી છે. છેલ્લી મેચમાં પંજાબને દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેકેઆરે શાનદાર જીત મેળવી હતી.
KKRની તાકાત: કોલકાતાની વાત કરીએ તો કોલકાતાની ટીમ એકંદરે સારું પ્રદર્શન કરી રહી છે. સુનીલ નારાયણ ટીમને શાનદાર શરૂઆત અપાવવામાં સફળ રહ્યો છે તેણે રાજસ્થાન સામે પણ સદી ફટકારી હતી. આ સાથે બોલિંગમાં હર્ષિત રાણા અને સુનીલ નારાયણનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. જ્યારે પણ ટીમને એક યા બીજા ખેલાડીની જરૂર પડી ત્યારે તેણે મહત્વની ભૂમિકા ભજવી.