ગુજરાત

gujarat

ETV Bharat / business

સંજય મલ્હોત્રા બન્યા RBIના નવા ગવર્નર, શક્તિકાંત દાસનું સ્થાન લેશે - RBI GOVERNOR SANJAY MALHOTRA

મહેસૂલ સેક્રેટરી સંજય મલ્હોત્રાને રિઝર્વ બેંકના આગામી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહેસૂલ સેક્રેટરી સંજય મલ્હોત્રા
મહેસૂલ સેક્રેટરી સંજય મલ્હોત્રા (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Dec 10, 2024, 9:42 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મહેસૂલ સેક્રેટરી સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આગામી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે, "કેબિનેટની નિમણૂક સમિતિએ 11.12.2024 થી ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે મહેસૂલ વિભાગના સચિવ સંજય મલ્હોત્રા IAS (RJ:1990) ની નિમણૂકને મંજૂરી આપી છે."

મલ્હોત્રા, 1990 બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી, શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ મંગળવારે (10 ડિસેમ્બર, 2024) એટલે કે આડ રોજ સમાપ્ત થાય છે. મલ્હોત્રા RBIના 26મા ગવર્નર હશે.

મલ્હોત્રાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ સ્નાતક છે અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ કર્યું છે.

33 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં પ્રદર્શિત નેતૃત્વ અને શ્રેષ્ઠતા સાથે, મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ખાણો વગેરે સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમની અગાઉની સોંપણીમાં, તેમણે નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું હતું.

તેઓ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં નાણા અને કરવેરાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની વર્તમાન સોંપણીના ભાગરૂપે, તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ કરના સંદર્ભમાં કર નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મહેસૂલ સચિવ તરીકે મલ્હોત્રાના કાર્યકાળ દરમિયાન, નાણા મંત્રાલયે માલ અને સેવા કર વસૂલાતમાં મજબૂત ગતિ જાળવી રાખી છે. માસિક કલેક્શન ડિસેમ્બર 2022માં રૂ. 1.49 લાખ કરોડથી વધીને નવેમ્બર 2024માં રૂ. 1.82 લાખ કરોડ થયું છે.

મહેસૂલ સચિવ તરીકેના તેમના કાર્યકાળ પહેલા, મલ્હોત્રાએ પાવર પ્રોજેક્ટ્સને ધિરાણ આપવામાં વિશેષતા ધરાવતા રાજ્યની માલિકીની કંપની REC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું હતું.

મલ્હોત્રા ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ મનમોહન સિંહ, રઘુરામ રાજન, બિમલ જાલન, ઉર્જિત પટેલ, ડી સુબ્બારાવ, ડૉ વાયવી રેડ્ડી, ડૉ સી રંગરાજન અને એસ જગગનાથનનો સમાવેશ કરતી પ્રખ્યાત યાદીમાં જોડાશે.

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે મલ્હોત્રાને તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક્સ પરની એક પોસ્ટમાં ગેહલોતે કહ્યું, "બીકાનેરના રહેવાસી અને રાજસ્થાન કેડરના IAS અધિકારી સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક કરવા બદલ હાર્દિક અભિનંદન અને સારા કાર્યકાળ માટે શુભેચ્છાઓ."

આ પણ વાંચો:

  1. ઓછા બજેટમાં થાઈલેન્ડ જવાની તક, IRCTC આપી રહ્યું છે આ સસ્તું પેકેજ

ABOUT THE AUTHOR

...view details