નવી દિલ્હી: ભારતીય રેલ્વે એ વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે, જે ભારતીય અર્થતંત્રની જીવાદોરી ગણાય છે. ભારતીય રેલવે રાષ્ટ્રીય એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને દરોજ્જ લાખો લોકો રેલ્વે દ્વારા મુસાફરી છે. રેલવે મુસાફરી માટે ટિકિટ ખરીદવી જરૂરી છે. ઘણી વખત લોકો તેમની મુસાફરી માટે તેમની ટ્રેનની ટિકિટ બુક કરાવે છે, પરંતુ તેઓ કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી. આ કારણે, તેઓએ કેન્સલેશન સામે વેઇટિંગ અથવા RAC ટિકિટ લેવી પડે છે.
નોંધનીય છે કે RAC ટિકિટ મેળવનારા લોકો અડધી સીટ પર જ મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં આરએસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો પ્રશ્ન પૂછે છે કે તેમને માત્ર અડધી સીટ કેમ મળે છે. જો તેઓ એસી કોચમાં મુસાફરી કરતા હોય, તો શું તેમને બેડશીટ અને ઓશીકું મળશે? આવી સ્થિતિમાં, જો તમે પણ ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને તમારી પાસે RAC ટિકિટ છે, તો હવે તમારા માટે રાહતના સમાચાર છે.
મુસાફરો માટે બેડરોલ સુવિધા
હકિકતમાં હવે ભારતીય રેલ્વે એસી કોચમાં આરએસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને સંપૂર્ણ બેડરોલ સુવિધા આપશે. અગાઉ એક સીટ પર મુસાફરી કરતા બે મુસાફરોને એક જ બેડરોલ મળતો હતો, જેના કારણે લોકોને અસુવિધા થતી હતી. આ બેડરોલમાં બેડશીટ અને ધાબળો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થશે.