ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાથરસ સત્સંગ ભાગદોડ, રાહુલ ગાંધીએ કહ્યું તંત્રની બેદરકારીના કારણે થઈ ઘટના, SITએ સરકારને સોંપ્યો પ્રારંભિક તપાસનો રિપોર્ટ, - Hathras Stampede

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 8:07 AM IST

Updated : Jul 5, 2024, 12:18 PM IST

હાથરસમાં રાહુલ ગાંધી
હાથરસમાં રાહુલ ગાંધી (ANI)

હાથરસ:કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીથી ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા છે. અહીં બે દિવસ પહેલા એક ધાર્મિક મેળાવડા દરમિયાન નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. કોંગ્રેસે કહ્યું કે તેમણે મહત્ત્વપૂર્ણ બંધારણીય પદ સંભાળ્યું છે, પરંતુ તેમને 'વિપક્ષના લોક નેતા' કહેવા વધારે યોગ્ય છે.

LIVE FEED

12:16 PM, 5 Jul 2024 (IST)

હાથરસ સત્સંગ ભાગદોડ, SITએ સરકારને સોંપ્યો પ્રારંભિક તપાસનો રિપોર્ટ, રાહુલ ગાંધીએ કહ્યું તંત્રની બેદરકારીના કારણે થઈ ઘટના

પીલખાના વિસ્તારના છોટાલાલની પત્ની મંજુ અને પુત્ર પંકજની સાથે ગામની બે મહિલાઓ પ્રેમવતી અને શાંતિ દેવીના મૃત્યુ થયાં હતુા. રાહુલ ગાંધીએ આ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. અહીંથી રાહુલ ગાંધી હાથરસના નવીપુર ખુર્દ વિભવ નગર સ્થિત ગ્રીન પાર્ક ગયા હતાં. જ્યાં ઓમવતી મુન્ની દેવી અને આશા દેવીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

9:39 AM, 5 Jul 2024 (IST)

પીડિત પરિવારોને મળ્યા રાહુલ ગાંધી, પરિવારજનોને આપ્યું શક્ય તમામ મદદ અને ન્યાયનું આશ્વાસન

હાથરસ: લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશના હાથરસની મુલાકાતે છે, અહીં તેઓ હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડમાં જીવ ગુમાવેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોના ખબર અંતર પુછવા માટે આવ્યાં છે. તેમાંથી જ એક પીડિત પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ તેમની આપવીતી સાંભળી હતી.

8:02 AM, 5 Jul 2024 (IST)

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નાસભાગ પ્રભાવિત હાથરસ પહોંચ્યા છે. હાથરસમાં નાસભાગથી પ્રભાવિત પરિવારો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, . 'ભોલે બાબા' તરીકે ઓળખાતા ધાર્મિક ઉપદેશક નારાયણ સાકર હરિના સત્સંગ દરમિયાન મંગળવારે સાંજે નાસભાગ મચી હતી આ સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Last Updated : Jul 5, 2024, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details