ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NIA carries raids Jammu Kashmir: NIA દ્વારા શનિવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ફંડિંગના સંબંધમાં અનેક સ્થળોએ દરોડા

NIA carries raids Jammu- Kashmir: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ફંડિંગના સંબંધમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 4:07 PM IST

nia-carries-out-raids-to-dismantle-terror-infrastructure-in-jammu-kashmir
nia-carries-out-raids-to-dismantle-terror-infrastructure-in-jammu-kashmir

જમ્મુ/શ્રીનગર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે આતંકવાદી પ્રવૃતિઓને ભંડોળ પૂરું પાડવા અને યુવાનોના કટ્ટરપંથીકરણમાં સામેલ તત્વો સામે તેની કાર્યવાહીના ભાગરૂપે અહીં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ શહેરમાં ગુર્જર નગર અને શાહિદી ચોક સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા (NIA carries raids Jammu- Kashmir) છે.

જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્ર દ્વારા ફેબ્રુઆરી 2019 માં પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે NIAના અધિકારીઓએ ખાનગી શાળા અને તેના પ્રમુખના નિવાસસ્થાન સહિત ત્રણ અધિકારીઓ સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, કુલગામ જિલ્લામાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ નેતાઓના ઘરની તલાશી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમાતના ભૂતપૂર્વ વડા શેખ ગુલામ હસન અને અન્ય નેતા સૈર અહેમદ રેશીના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્ર દ્વારા ફેબ્રુઆરી 2019 માં પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે સક્રિય:તમને જણાવી દઈએ કે NIA જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે સક્રિય છે. તપાસ એજન્સી એવા આતંકવાદીઓને ટાર્ગેટ કરે છે જેઓ આતંકવાદને ફંડ કરે છે અથવા આતંકવાદીઓના ફંડિંગને પાયાના સ્તર સુધી લઈ જાય છે. NIAને છેલ્લા કેટલાક વર્ષોમાં આ દિશામાં મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન આતંકીઓ દ્વારા મોટા પાયે ફંડિંગનો મામલો સામે આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details