હૈદરાબાદ: એક અભિનેત્રીનું આકસ્મિક મૃત્યુ આઘાતજનક અને એટલું જ ધ્યાન ખેંચનારું પણ હોઈ શકે છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે જ્યારે અભિનેત્રી પોતે દુષ્પ્રચારનો સહારો લે છે અને કેન્સર જેવા સંવેદનશીલ વિષય પર પોતાના મૃત્યુનું નાટક કરે છે. વિચારવા જેવી બાબત સર્વાઈકલ કેન્સર જાગૃતતાના નામે સોશિયલ મીડિયા પર પોતાનું 'બનાવટી મોત'ને લઈને મૉડલ પૂનમ પાંડેનો હાલનો 'પબ્લિસિટી સ્ટંટ' છે. ઇટીવી ભારતે આ ઘટનાને લઈને ફેક્ટ ચેક એક્સપર્ટ મુરલીકૃષ્ણન ચિન્નાદુરઈ સાથે વાત કરી હતી અને તેને ગંભીરતાથી કેમ લેવી જોઈએ તેના વિશે તેમના મંતવ્યો જાણ્યા હતાં.
પ્રશ્ન: એક ફેક્ટ ચેકર તરીકે આપ સોશિયલ મીડિયા પર પોતાની મોતનું નાટક કરનારી પૂનમ પાંડેને આપે કેવી રીતે જુઓ છો ?
જવાબઃ સૌથી પહેલા આ સમાચાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર હતા. આ અંગે બીજે ક્યાંય કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી. ઇન્સ્ટાગ્રામ પેજના દાવાની પુષ્ટિ કરવા માટે કોઈ તબીબી પુરાવા ઉપલબ્ધ ન હતાં. ત્રણ દિવસ પહેલા મુંબઈમાં રેડ કાર્પેટ પર ચાલનારી વ્યક્તિની સર્વાઈકલ કેન્સરથી મૃત્યુના સમાચાર પર્યાપ્ત ન હતાં. ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર રિલીઝ થવાને કારણે, વિવિધ મીડિયા સંસ્થાનોએ આ સમાચાર દર્શાવ્યા. જો કે આમા શંકાને કોઈ સ્થાન નથી. દસ્તાવેજો અને પુરાવાઓના આધારે હકીકત-તપાસ કરી શકાય છે. ફેક્ટ ચેક કરવું એ એક પડકાર હતો, કારણ કે તબીબી અહેવાલમાં તેના 'મૃત્યુ'ની પુષ્ટિ થઈ હતી અને મૃતકના મૃતદેહ વિશે કોઈ ખબર ન હતી.
પ્રશ્ન: આ ફેક ન્યૂઝનો પર્દાફાશ કરવામાં વિલંબ કેમ થયો?
જવાબ: પૂનમ પાંડેના મૃત્યુનો દાવો કરતી નકલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ 2 ફેબ્રુઆરીની સવારે અભિનેત્રીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. પરંતુ આ અંગે તેના સંબંધીઓનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો. તેના મિત્ર મુનવ્વર ફારુકીએ પણ તેના ઓફિશિયલ પેજ પર આ અંગેની પોસ્ટ શરે કરી કે, તે આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો છે, અને તે પોતાના દુઃખને કાબૂમાં રાખી શકતો નથી. જોકે, સાંજના 4 વાગ્યા સુધી પણ આ વિશે કોઈ વધુ કોઈ પુરાવા મળ્યાં ન હતાં, માટે ફેક્ટ ચેક નિષ્ણાતોની એક રાષ્ટ્રીય પેનલે સમાચારની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુંબઈ સ્થિત એક ફેક્ટ ચેકરે માહિતી ચકાસવા માટે વિવિધ તબક્કે પૂનમ પાંડેની નજીકના લોકોનો સંપર્ક કર્યો હતો. ફેક્ટ ચેકર એ નિષ્કર્ષ પર આવ્યો કે તેના મૃત્યુના સમાચાર સાચા નથી. જો કે, સત્તાવાર રીતે તેને જુઠ તરીકે પણ નકારી ન શકાઈ કેમ કે, સાક્ષીના આધારે સત્ય પુરવાર કરવા માટે તેની પાસે પર્યાપ્ત પુરાવા ન હતાં. આ પ્રકારની બોગસ ખબર પોસ્ટ ટ્રુથ કહી શકાય, તેનો અર્થ છે કે, જુઠ તરીકે સ્થાપિત કરવું મુશ્કેલ છે, જ્યાં સુધી કે સંબંધીત વ્યક્તિ કે તેનો પરિવાર તેનાથી ઈન્કાર ન કરે.
પ્રશ્ન: પૂનમ પાંડેએ દાવો કર્યો હતો કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે તેના મૃત્યુની ખોટી ખબર બનાવી હતી. શા માટે આને હકારાત્મક રીતે ન લઈ શકાય?
જવાબ: આને હકારાત્મક ગણી શકાય નહીં. ઇરાદો ગમે તે હોય, આ વ્યૂહરચનાની દ્રષ્ટીએ દોષપૂર્ણ છે. આ એટલા માટે છે કારણ કે મૃત્યુનો પ્રચાર એવા લોકોની આશાઓને ઘ્વંસ્ત કરી નાખે છે, જેઓ આ પ્રકારના કેન્સરથી પીડિત છે અને તેમાંથી ઉગરી રહ્યા છે. પીડિતો અને તેમની નજીકના લોકો માટે આ મનોવૈજ્ઞાનિક યુદ્ધની અસરોમાંથી બહાર આવવું એટલું સરળ નથી. જો જાગૃતિ એ જ ધ્યેય હોય, તો સુનિયોજિત દુષ્પ્રચાર અભિયાનનો આશરો લેવાને બદલે પ્રામાણિક માર્ગ પસંદ કરવાનો ઉપાય છે. આ એક જઘન્ય ઉદાહરણ રજૂ કરે છે.
પ્રશ્ન: દુષ્પ્રચાર અને દુષ્પ્રચાર અભિયાન બંને વચ્ચે શું તફાવત છે? કયા તબક્કે દુષ્પ્રચાર એક દુષ્પ્રચાર ઝુંબેશ બની જાય છે?