ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Haldwani Violence Ground Report : કર્ફ્યુ હટ્યા બાદ પણ બનભૂલપુરાની શાળાઓમાં બાળકો ગેરહાજર કેમ ? - Curfew in Banbhulpura

હલ્દ્વાની હિંસાના 11 દિવસ બાદ સ્થિતિ સામાન્ય થતા બનભૂલપુરામાં કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. ભય અને ગભરાટ શમી ગયા પછી પણ બાળકો તેમના ઘરોમાં કેદ છે. ઘણા બાળકો શાળાએ જઈ શકતા નથી. જેના માટે વાલીઓ જુદી જુદી દલીલો કરી રહ્યા છે.

હલ્દ્વાની હિંસા ગ્રાઉન્ડ રિપોર્ટ
હલ્દ્વાની હિંસા ગ્રાઉન્ડ રિપોર્ટ

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2024, 1:06 PM IST

ઉત્તરાખંડ : હલ્દ્વાની હિંસાના 11 દિવસ બાદ બનભૂલપુરા વિસ્તારમાંથી કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં શાળાઓ ફરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ આ ઘટના બાદ વિસ્તારના ઘણા બાળકો હજુ પણ શાળાએ જઈ શક્યા નથી. સાથે જ બાળકોના વાલીઓ પણ તેમના બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા, તેની પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે.

બાળકોનું ભણતર બરબાદ : હાલના સમયે બનભૂલપુરા વિસ્તારના લોકોની સૌથી મોટી ચિંતા આજીવિકા શોધવી છે. પરંતુ એક બીજી બાબત છે જેને લઈને અહીંયા દરેક વાલીઓ ચિંતિત છે. હકીકતમાં હલ્દ્વાની હિંસામાં સૌથી વધુ બાળકો પ્રભાવિત થયા છે. બનભૂલપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ બાળકોનું ભણતર પણ બરબાદ થઈ ગયું છે. જોકે, લગભગ 11 દિવસ બાદ કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ વિસ્તારમાં ઘણા બાળકો વિવિધ કારણોસર શાળાએ જતા નથી. ETV Bharat ના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન તે સ્પષ્ટ થયું કે ઘટનાસ્થળની આસપાસના ઘણા બાળકો હજુ પણ શાળામાં શા માટે નથી ગયા.

શા માટે બાળકો શાળામાં નથી જતા ?ઘણાં બાળકો હજુ પણ શાળાએ નથી જઈ રહ્યા તેની પાછળ અલગ-અલગ કારણો આપવામાં આવી રહ્યા છે. બનભૂલપુરા વિસ્તારમાં કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે અને મોટાભાગની શાળાઓ પણ ફરી શરુ કરી દેવામાં આવી છે. પરંતુ હાલમાં પણ ઘણી શાળામાં બાળકોની હાજરી પૂરી થતી નથી. આ વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કર્યા બાદ ખબર પડી કે ઘણા લોકો તેમના બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા. આવું શા માટે છે તે જાણવા માટે જ્યારે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે આ મામલે કેટલાક અલગ-અલગ નિવેદન પણ સામે આવ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે હજુ સુધી શાળા તરફથી એવી કોઈ માહિતી આવી નથી કે નાના બાળકો માટે શાળા ક્યારે ખુલશે. તેથી માહિતી વિના બાળકોને શાળાએ મોકલવાનું શક્ય નથી.

એ દ્રશ્ય નથી ભુલાતા : કેટલાક પરિવારો પર આ ઘટનાની સીધી અસર થઈ છે અને તેથી આવા પરિવારો હાલમાં તેમના બાળકોને શાળાએ મોકલી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો પરિસ્થિતિ વધુ સુધરે તેની રાહ જોઈ રહ્યા હોવાને તેમના બાળકોને શાળાએ ન મોકલવા પાછળનું કારણ જણાવી રહ્યા છે. જો આ રીતે જોવામાં આવે તો ઘણા બાળકો હજુ પણ “મલિક કા બગીચા” વિસ્તારની આસપાસ તેમના ઘરમાં કેદ છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે તેઓ જૂની યાદોને ભૂલી શક્યા નથી અને ભયના આ વાતાવરણમાં તેમના બાળકો હાલ શાળાએ જઈ શકતા નથી. નાના બાળકો પણ આ જ વાતનું પુનરાવર્તન કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારના બાળકો શાળાએ ક્યારે જાય છે તે જોવાનું રહેશે.

  1. Haldwani Violence: બનભૂલપુરામાંથી કર્ફ્યુ હટાવ્યો, સોશિયલ મીડિયા પર ભ્રામક પ્રચાર અને ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહી કરાશે
  2. Haldwani Violence Updates: હલ્દવાની હિંસાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકને ભાગેડુ જાહેર કર્યો

ABOUT THE AUTHOR

...view details